Thursday, March 5, 2026

અમદાવાદમાં પશ્ચિમ રિવરફ્રન્ટ પર નાઈટ મેરેથોનને લઈને આ રોડ બંધ રહેશે, વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના આંગણે આજે 21 જાન્યુઆરીએ રિવરફ્રન્ટ પર નાઈટ મેરેથોન યોજાશે. નશામુક્તિ અભિયાન માટે અમદાવાદ પોલીસ દ્વારા આયોજિત નાઈટ મેરેથોનને CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ફ્લેગ ઓફ કરશે. પરંતુ મેરેથોનના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને રાહદારીઓ માટે વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યો છે. માટે સાંજે ઓફિસથી છૂટીને ઘરે જઈ રહ્યા હોય કે તમારા ત્યાં કોઈ મહેમાન આવી રહ્યા હોય તો તેમને નવા રૂટ અંગે જાણ કરવાનું ભૂલશો નહીં.

તમે ઓફિસથી છૂટીને આશ્રમ રોડના બદલે પશ્ચિમના રિવરફ્રન્ટનો ઉપયોગ કરતા હોવ તો આજે સાંજે તમે તે રૂટનો ઉપયોગ નહીં કરી શકો. સાંજે 4 વાગ્યા પછી વાડજ સ્માશનગૃહથી રિવરફ્રન્ટ પશ્ચિમ રોડથી આંબેડકર બ્રિજથી અંજલી ચાર રસ્તા તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ : રિવરફ્રન્ટ સ્માશાનગૃહથી બંધ રહેવાના કારણે ઉસ્માન પુરા થઈને વાડજ, ઈન્કમટેક્સ, બાટા ચાર રસ્તાથી ટાઉનહોલ થઈને પાલડી જઈ શકાશે. અહીંથી જ આગળ મહાલક્ષ્મી પાંચ રસ્તા થઈને અંજલી ઓવરબ્રિજ થઈને અવરજવર કરી શકાશે.

વાડજથી સુભાષબ્રિજ : વાડજથી ગાંધી આશ્રમ થઈને સુભાષ બ્રિજ જવાનો માર્ગ વાહનચાલકો માટે બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ : સુભાષ બ્રિજ સર્કલથી વાડજ જવા માટે પ્રબોધ રાવળ સર્કલથી ડાબી તરફ પલક ચાર રસ્તા થઈને વાડજ જઈ શકાશે.

પાવર હાઉસથી પાવર હાઉસ ચાર રસ્તાથી રિવરફ્રન્ટ પશ્ચિમ રેલવે બ્રિજ થઈને સુભાષ બ્રિજ સર્કલ તરફ જતો રિવરફ્રન્ટ વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ : પાવર હાઉસ ચાર રસ્તા થઈને ચીમનભાઈ ઓવરબ્રિજ મધ્યભાગથી પ્રબોધ રાવળ સર્કલથી ડાબી બાજુએથી સુભાષબ્રિજ સર્કલ તરફ આગળ વધી શકાશે.

સરદાર બ્રિજથી રિવરફ્રન્ટ : સરદાર બ્રિજ નીચેથી રિવરફ્રન્ટ પૂર્વથી આંબેડકર બ્રિજ રિવરફ્રન્ટ પૂર્વનો માર્ગ અને આંબેડકર ઓવરબ્રિજથી વાહનોની અવરજવર બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ : (A) ખોડિયારનગર ચાર રસ્તા થઈને બહેરામપુરા પોલીસ ચોકી પાછળથી જમાલપુર ચાર રસ્તાથી સરદાર બ્રિજ તરફ અવરજવર કરી શકાશે. (B) ખોડિયાનગર ચાર રસ્તાથી પીરાણા ચાર રસ્તાથી શાસ્ત્રીનગર થઈને વિશાલા સર્કલથી વાસણા ગામથી આશ્રમ રોડ તરફ અવરજવર કરી શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...