Tuesday, April 21, 2026

અમદાવાદમાં પશ્ચિમ રિવરફ્રન્ટ પર નાઈટ મેરેથોનને લઈને આ રોડ બંધ રહેશે, વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના આંગણે આજે 21 જાન્યુઆરીએ રિવરફ્રન્ટ પર નાઈટ મેરેથોન યોજાશે. નશામુક્તિ અભિયાન માટે અમદાવાદ પોલીસ દ્વારા આયોજિત નાઈટ મેરેથોનને CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ફ્લેગ ઓફ કરશે. પરંતુ મેરેથોનના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને રાહદારીઓ માટે વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યો છે. માટે સાંજે ઓફિસથી છૂટીને ઘરે જઈ રહ્યા હોય કે તમારા ત્યાં કોઈ મહેમાન આવી રહ્યા હોય તો તેમને નવા રૂટ અંગે જાણ કરવાનું ભૂલશો નહીં.

તમે ઓફિસથી છૂટીને આશ્રમ રોડના બદલે પશ્ચિમના રિવરફ્રન્ટનો ઉપયોગ કરતા હોવ તો આજે સાંજે તમે તે રૂટનો ઉપયોગ નહીં કરી શકો. સાંજે 4 વાગ્યા પછી વાડજ સ્માશનગૃહથી રિવરફ્રન્ટ પશ્ચિમ રોડથી આંબેડકર બ્રિજથી અંજલી ચાર રસ્તા તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ : રિવરફ્રન્ટ સ્માશાનગૃહથી બંધ રહેવાના કારણે ઉસ્માન પુરા થઈને વાડજ, ઈન્કમટેક્સ, બાટા ચાર રસ્તાથી ટાઉનહોલ થઈને પાલડી જઈ શકાશે. અહીંથી જ આગળ મહાલક્ષ્મી પાંચ રસ્તા થઈને અંજલી ઓવરબ્રિજ થઈને અવરજવર કરી શકાશે.

વાડજથી સુભાષબ્રિજ : વાડજથી ગાંધી આશ્રમ થઈને સુભાષ બ્રિજ જવાનો માર્ગ વાહનચાલકો માટે બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ : સુભાષ બ્રિજ સર્કલથી વાડજ જવા માટે પ્રબોધ રાવળ સર્કલથી ડાબી તરફ પલક ચાર રસ્તા થઈને વાડજ જઈ શકાશે.

પાવર હાઉસથી પાવર હાઉસ ચાર રસ્તાથી રિવરફ્રન્ટ પશ્ચિમ રેલવે બ્રિજ થઈને સુભાષ બ્રિજ સર્કલ તરફ જતો રિવરફ્રન્ટ વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ : પાવર હાઉસ ચાર રસ્તા થઈને ચીમનભાઈ ઓવરબ્રિજ મધ્યભાગથી પ્રબોધ રાવળ સર્કલથી ડાબી બાજુએથી સુભાષબ્રિજ સર્કલ તરફ આગળ વધી શકાશે.

સરદાર બ્રિજથી રિવરફ્રન્ટ : સરદાર બ્રિજ નીચેથી રિવરફ્રન્ટ પૂર્વથી આંબેડકર બ્રિજ રિવરફ્રન્ટ પૂર્વનો માર્ગ અને આંબેડકર ઓવરબ્રિજથી વાહનોની અવરજવર બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ : (A) ખોડિયારનગર ચાર રસ્તા થઈને બહેરામપુરા પોલીસ ચોકી પાછળથી જમાલપુર ચાર રસ્તાથી સરદાર બ્રિજ તરફ અવરજવર કરી શકાશે. (B) ખોડિયાનગર ચાર રસ્તાથી પીરાણા ચાર રસ્તાથી શાસ્ત્રીનગર થઈને વિશાલા સર્કલથી વાસણા ગામથી આશ્રમ રોડ તરફ અવરજવર કરી શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...