Saturday, November 8, 2025

અમદાવાદીઓ શ્વાનથી સાવધાન ! એક વર્ષમાં શ્વાન કરડવાના 58 હજારથી વધુ કેસ નોંધાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાંથી પણ કૂતરાઓના હુમલાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. અમદાવાદમાં 2022માં કૂતરાએ બચકા ભર્યાના 58,668 કેસ નોંધાયા છે. 2021માં નોંધાયેલા આંકડા કરતા 7,457 કેસ વધારે છે. ત્યારે અમદાવાદીઓએ સાવધાન રહેવાની જરૂર છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહેલા સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, 2020-21માં લોકડાઉનના કારણે અગાઉના વર્ષોની સરખામણીમાં કૂતરાઓએ બચકા ભર્યા હોવાના કેસ ઘટ્યા હતા. ડેટા પ્રમાણે, 2019માં અમદાવાદની હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરોમાં 65,881 ડોગ બાઈટના કેસ નોંધાયા હતા. 2020માં આ આંકડો ઘટીને 51,244 થયો હતો જ્યારે 2021માં 50,668 કેસ નોંધાયા હતા. “કૂતરાના બચકા ભરવાના કેસ તો વધ્યા જ હતા પરંતુ અગાઉના બે વર્ષોની સરખામણીમાં 2022 સામાન્ય વર્ષ ઘણી શકાય. જોકે 2022નો આંકડો 2019ની સરખામણીએ તો ઓછો જ છે”, તેમ AMCના એક અધિકારીએ જણાવ્યું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે શ્વાન દ્વારા કરડવાના સૌથી વધારે કેસ નોંધાય છે. કારણે કે તે સમય માદા શ્વાનના બચ્ચાઓને જન્મ આપવાની સિઝન આવે છે અને તેઓ પોતાના બચ્ચાના રક્ષણ માટે બચકાં ભરતી હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...