Thursday, November 13, 2025

અમદાવાદીઓ શ્વાનથી સાવધાન ! એક વર્ષમાં શ્વાન કરડવાના 58 હજારથી વધુ કેસ નોંધાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાંથી પણ કૂતરાઓના હુમલાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. અમદાવાદમાં 2022માં કૂતરાએ બચકા ભર્યાના 58,668 કેસ નોંધાયા છે. 2021માં નોંધાયેલા આંકડા કરતા 7,457 કેસ વધારે છે. ત્યારે અમદાવાદીઓએ સાવધાન રહેવાની જરૂર છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહેલા સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, 2020-21માં લોકડાઉનના કારણે અગાઉના વર્ષોની સરખામણીમાં કૂતરાઓએ બચકા ભર્યા હોવાના કેસ ઘટ્યા હતા. ડેટા પ્રમાણે, 2019માં અમદાવાદની હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરોમાં 65,881 ડોગ બાઈટના કેસ નોંધાયા હતા. 2020માં આ આંકડો ઘટીને 51,244 થયો હતો જ્યારે 2021માં 50,668 કેસ નોંધાયા હતા. “કૂતરાના બચકા ભરવાના કેસ તો વધ્યા જ હતા પરંતુ અગાઉના બે વર્ષોની સરખામણીમાં 2022 સામાન્ય વર્ષ ઘણી શકાય. જોકે 2022નો આંકડો 2019ની સરખામણીએ તો ઓછો જ છે”, તેમ AMCના એક અધિકારીએ જણાવ્યું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે શ્વાન દ્વારા કરડવાના સૌથી વધારે કેસ નોંધાય છે. કારણે કે તે સમય માદા શ્વાનના બચ્ચાઓને જન્મ આપવાની સિઝન આવે છે અને તેઓ પોતાના બચ્ચાના રક્ષણ માટે બચકાં ભરતી હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...