Tuesday, February 10, 2026

અમદાવાદ શહેરમાં ઇમ્પેક્ટ ફીના કાયદાને નબળો પ્રતિસાદ, મુદત વધારાય તેવી સંભાવના !

spot_img
Share

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ઇમ્પેક્ટ ફીનો કાયદો જાહેર કરવામા આવ્યો છે પરંતુ આ કાયદો અને ભૂતકાળના કાયદામાં અનેક વિસંગતતા હોવાથી આ કાયદાને અમદાવાદ સહિત અનેક જગ્યાએ મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જે અંતર્ગત 16 તારીખે ગુરુવારે અરજી કરવાની મુદત પૂર્ણ થઈ છે. ત્યારે 23 ફેબ્રુઆરીથી મળનારા વિધાનસભા સત્રમાં તેમાં વધારો કરવામાં આવશે. નાગરિકોને વધુ ત્રણથી છ મહિના માટે ઇમ્પેક્ટ ફીની અરજી કરવા માટે વધુ સમય અપાય તેવી સંભાવના છે. અમદાવાદ મહાનગરપાલિકાને 13,425 અરજી મળી છે. જેમાં 138 અરજીઓ ઓફલાઈન મળી છે, જ્યારે બાકીની અરજીઓ ઓનલાઇન મળી છે.

અમદાવાદ શહેરમાં આશરે બે લાખ કરતા પણ વધુ ગેરકાયદેસર બાંધકામો છે. તંત્રને માત્ર 13 હજાર જેટલી અરજી મળી છે. જે અમદાવાદ શહેરમાં કાયદાની નિષ્ફળતા દર્શાવે છે. ઇમ્પેક્ટ ફી અંતર્ગત મોટાપાયે અરજીઓ મળી છે, પણ માત્ર 100 અરજીઓનો નિકાલ થયો છે. અરજીઓનો નિકાલ ખૂબ ધીમી ગતિએ થઈ રહ્યો છે. એક તરફ કોર્પોરેશન ફટાફટ અરજી નિકાલની વાત કરે છે પરંતુ જે રીતે કામગીરી થઇ રહી છે તેને જોઇને અરજીઓનો નિકાલ થતાં લાંબો સમય રાહ જોવી પડશે.સરકાર મુદત વધારવા સાથે કેટલાક સુધારા જાહેર કરે તેમાં આ ફી ઓછી રખાય તેવી અપેક્ષા નાગરિકો રાખી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...