Monday, February 16, 2026

જંત્રી અને સ્ટેમ્પડ્યૂટી મામલે આવ્યા મોટા સમાચાર, સરકાર રાહતો આપે તેવી શક્યતાઓ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતીઓ માટે સૌથી મોટી ખુશખબર એ છે કે વિધાનસભાના બજેટ સત્રમાં સરકાર એક નવી જાહેરાતની તૈયારી કરી રહી છે. જંત્રી વધતાં આમ સરકાર પર પડેલો બોજ ઘટાડવા માટે સરકાર સ્ટેમ્પ ડ્યૂટીમાં અને રજિસ્ટ્રેશન ફીમાં આંશિક રાહત આપે તેવી શક્યતા છે. રાજ્યમાં 15મી એપ્રિલથી જંત્રીના દરોમાં બમણો વધારો થઈ રહ્યો છે. હવે સરકાર ગુજરાતીઓને મોટી રાહત આપે તેવી સંભાવના છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ મિલકતોની સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીમાં ઘટાડો થાય તેવા એંધાણ છે. મહારાષ્ટ્ર સરકારની પેટર્ન પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીમાં 25 થી 25 ટકા સુધીનો ઘટાડો થાય તે માટે વિચારણા થઈ રહી છે. નાણામંત્રી તેમના ફાઈનાન્સ બીલમાં તેની જોગવાઈ કરી શકે છે.સરકાર જો સ્ટેમ્પડયુટીના દરોમાં ઘટાડો કરે તો રિયલ એસ્ટેટની સાથે સંકળાયેલા બીજા 280 જેટલા ઉદ્યોગોને પણ રાહત મળી શકે છે.

ગુજરાતમાં હાલમાં મિલકત નોંધણી પર 4.9 ટકા સ્ટેમ્પ ડ્યૂટી અને એક ટકા નોંધણી ફી છે. જોકે મહિલા ખરીદાર હોય તો તેમને એક ટકાની છૂટ આપવામાં આવે છે. જંત્રીના દરો વધી રહ્યા છે ત્યારે બિલ્ડર જૂથે ફરીથી બજેટમાં સ્ટેમ્પ ડ્યૂટીના દરોમાં ઘટાડો કરવા રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...