Wednesday, March 11, 2026

નારણપુરામાં રોડ કપાતનો વિવાદ : સ્થાનિક ધારાસભ્ય જીતુભાઇ પટેલ શું કહે છે, જયારે સ્થાનિકો શું માંગણી કરી રહ્યા છે, જાણો ?

spot_img
Share

અમદાવાદ : નારણપુરા ક્રોસીંગથી નારણપુરા ગામ સુધીના 1.5 કિલોમીટર સુધીના 80 ફૂટના રોડને 100 ફૂટનો કરવાના તંત્રના નિર્ણય બાદ સ્થાનિક રહીશો તંત્ર અને રાજકારણીઓ વચ્ચે પીસાઈ રહયા છે. સ્થાનિક ધારાસભ્ય જીતુ ભગતે નારણપુરામાં રોડ કપાતનો નિર્ણય હાલ પૂરતું બંધ રાખવાની જાહેરાત કરી છે. પરંતુ રહીશોની એક જ માંગ છે કે આનો કાયમી ધોરણે નિકાલ ન આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.

નારણપુરાના ધારાસભ્ય જીતુભાઈ પટેલે (ભગત) મિડીયાને સંબોધતા કહયુ હતું કે નારણપુરા ક્રોસીંગથી ટી.પી.રોડનુ અમલીકરણ કરવાનુ આયોજન વર્ષ-2002થી કરવામાં આવેલુ છે.લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને હાલ પુરતો આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. બિલ્ડરોને લાભ કરાવવા રોડ કપાતનો નિર્ણય કરવામા આવ્યો હોવાની વાતો હીત ધરાવતા તત્વો દ્વારા કરવામાં આવી રહી છે.ભાજપ એ હંમેશા લોકોની સાથે રહેલી પાર્ટી હોવાથી કપાતનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

નારણપુરા ટીપીની રોડ લાઈન દૂર કરવામાં આવે તેવી રહીશોના આગેવાનો માંગણી કરી રહ્યા છે. જે તે સમયે 2002માં ટીપીમાં અધિકારી દ્વારા આ રોડ લાઈન ખોટી રીતે કરવામાં આવી છે. ટ્રાફિકનો કોઈપણ પ્રકારનો સર્વે કર્યા વગર રોડની આગળ પાછળની કનેક્ટિવિટી જોયા વગર જ રોડ લાઈન મૂકી દેવામાં આવી છે. જ્યાં સુધી આગળ પાછળનો રોડ 80 ફૂટનો ન હોય ત્યાં સુધી રોડ લાઈન અમલ ના કરવી જોઈએ. જેથી આ અમારું આંદોલન ચાલુ જ રહેશે. અમે અમારા બેનરો ઉતારીશું નહીં. આનો અમારે કાયમી ધોરણે નિકાલ જોઈએ છીએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...