Monday, November 17, 2025

નારણપુરામાં રોડ કપાતનો વિવાદ : સ્થાનિક ધારાસભ્ય જીતુભાઇ પટેલ શું કહે છે, જયારે સ્થાનિકો શું માંગણી કરી રહ્યા છે, જાણો ?

spot_img
Share

અમદાવાદ : નારણપુરા ક્રોસીંગથી નારણપુરા ગામ સુધીના 1.5 કિલોમીટર સુધીના 80 ફૂટના રોડને 100 ફૂટનો કરવાના તંત્રના નિર્ણય બાદ સ્થાનિક રહીશો તંત્ર અને રાજકારણીઓ વચ્ચે પીસાઈ રહયા છે. સ્થાનિક ધારાસભ્ય જીતુ ભગતે નારણપુરામાં રોડ કપાતનો નિર્ણય હાલ પૂરતું બંધ રાખવાની જાહેરાત કરી છે. પરંતુ રહીશોની એક જ માંગ છે કે આનો કાયમી ધોરણે નિકાલ ન આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.

નારણપુરાના ધારાસભ્ય જીતુભાઈ પટેલે (ભગત) મિડીયાને સંબોધતા કહયુ હતું કે નારણપુરા ક્રોસીંગથી ટી.પી.રોડનુ અમલીકરણ કરવાનુ આયોજન વર્ષ-2002થી કરવામાં આવેલુ છે.લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને હાલ પુરતો આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. બિલ્ડરોને લાભ કરાવવા રોડ કપાતનો નિર્ણય કરવામા આવ્યો હોવાની વાતો હીત ધરાવતા તત્વો દ્વારા કરવામાં આવી રહી છે.ભાજપ એ હંમેશા લોકોની સાથે રહેલી પાર્ટી હોવાથી કપાતનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

નારણપુરા ટીપીની રોડ લાઈન દૂર કરવામાં આવે તેવી રહીશોના આગેવાનો માંગણી કરી રહ્યા છે. જે તે સમયે 2002માં ટીપીમાં અધિકારી દ્વારા આ રોડ લાઈન ખોટી રીતે કરવામાં આવી છે. ટ્રાફિકનો કોઈપણ પ્રકારનો સર્વે કર્યા વગર રોડની આગળ પાછળની કનેક્ટિવિટી જોયા વગર જ રોડ લાઈન મૂકી દેવામાં આવી છે. જ્યાં સુધી આગળ પાછળનો રોડ 80 ફૂટનો ન હોય ત્યાં સુધી રોડ લાઈન અમલ ના કરવી જોઈએ. જેથી આ અમારું આંદોલન ચાલુ જ રહેશે. અમે અમારા બેનરો ઉતારીશું નહીં. આનો અમારે કાયમી ધોરણે નિકાલ જોઈએ છીએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...