Saturday, March 7, 2026

અમદાવાદીઓ ચેતજો, ચાલતાં-ફરતાં હાથમાંથી જ ફોન ખેંચી મોબાઇલ સ્નેચિંગ કરતી ટોળકી સક્રિય

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ચેઇન સ્નેચિંગ બાદ હવે મોબાઇલ સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે.ધુમ સ્ટાઇલથી બાઇક લઇને ગઠીયાઓ આવશે અને ગણતરીની સેકન્ડમાં મોબાઇલ સ્નેચિંગ કરીને નાસી જશે જેવા અનેક કિસ્સાઓ જોવા મળે છે અને મોબાઈલ સ્નેચિંગ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. આ ઉપરાંત ભીડભાડવાળી જગ્યા ઉપર પણ ખિસ્સામાં મોબાઇલ ફોન મુક્યો હોય તો પણ સાચવવાની જરુર છે. કેમ કે, ચોર ટોળકી ભીડનો લાભ લઇને મોબાઇલની ચોરી કરીને નાસી જશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના ચાંદખેડા અને અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં મોબાઇલ સ્નેચરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. એન્જિનિયરીંગ કોલેજમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અને ચાંદખેડામાં રહેતા દેવેન્દ્રભાઈએ થોડા દિવસ પહેલા જમીને નાઇટ વોક માટે નીકળ્યા હતા. તે દરમિયાનમાં બાઇક પર બે શખ્સો આવ્યા હતા અને તેમના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવીને લઇ ગયા હતા.

અમરાઇવાડી વિસ્તારમાં રહેતો અને જીઆઇડીસીમાં નોકરી કરતો સુરેશ ઠાકોર નામનો યુવક પણ થોડા દિવસ પહેલા ઇવનિંગ વોક માટે નીકળ્યો હતો ત્યારે તે પોતાના મિત્ર સાથે વાતચીત કરી રહ્યો હતો. તે સમયે બાઇક પર બે શખ્સો આવ્યા હતા અને સુરેશના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવીને નાસી ગયા હતા. બન્ને મોબાઇલ સ્નેચિંગની ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

ચોરીના મોબાઇલ ફોન અંતરયાળ ગામડા તેમજ અન્ય રાજ્યોમાં વેચી દેવાય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોર અલગ-અલગ સમયે મોબાઇલ ફોનની ચોરી કરતા હોય છે. ચોર પાસે ચોરીના મોબાઇલનો સ્ટોક થઇ જાય ત્યારે તે ગુજરાતના અંતરયાળ ગામડા કે પછી નેપાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશમાં વેચી દેતા હોય છે. પોલીસ અનેક વખત મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગ ઝડપી પાડે છે અને સંખ્યાબંધ ફોન જપ્ત કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...