Tuesday, February 10, 2026

અદાણીના શેરોમાં અચાનક મોટો ઉછાળો ! હિંડનબર્ગના કહેર બાદ અદાણીની દમદાર વાપસી

spot_img
Share

મુંબઈ : અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગના પ્રહાર બાદ ઘણા દિવસ પછી બુધવારે અદાણી ગ્રુપના શેરોએ જબરદસ્ત વાપસી કરી છે. આજે બજારમાં અદાણી ગ્રુપના તમામ 10 શેર લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. અદાણી ગ્રુપના સ્ટોક્સ લીડ સાથે ખુલ્યા છે. શેરોમાં તેજી જોવા મળી રહી છે. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 1549.90 રૂપિયાના સ્તરે જોવા મળ્યો. અદાણી ગ્રુપના તમામ શેરોમાં સવારથી જ તેજી જોવા મળી રહી છે. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર સવારે 1424ના સ્તરે ખુલ્યો હતો. આજે અદાણી ગ્રુપના તમામ 10 શેર લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. અદાણી ગ્રુપના શેરોમાં તેજીના પગલે રોકાણકારો ગદગદ છે. જે શેરોમાં અત્યાર સુધી વેચાવલી જોવા મળી રહી હતી તેમાં હવે રોકાણકારોની ભારે ખરીદી જોવા મળી રહી છે.

બીજી બાજુ અદાણી પાવરના શેરમાં આજે પણ લીડ જોવા મળી રહી છે. આ શેર આજે અપર સર્કિટ પર લાગ્યો છે. પાંચ ટકાની લીડ સાથે તે 153.60ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને પર લગભગ 5 ટકાના વધારા સાથે NSE અને BSE અનુક્રમે 153.60 અને 153.75 પર ટ્રેડ કરી રહ્યો છે. તેનું માર્કેટ કેપ રૂ. 59. 24 હજાર કરોડ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...