Tuesday, February 10, 2026

ન્યુ રાણીપની યુવતીને ભારે પડ્યા પરણીને USA જવાના અભરખા, NRI પતિએ અમેરિકાથી છૂટાછેડાની નોટિસ મોકલાવી

spot_img
Share

અમદાવાદ : શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોતાના સમાજના NRI યુવક સાથે લગ્ન કર્યા હતા.પતિએ તેને અમેરિકા લઈ જવાની તૈયારી પણ શરુ કરી દીધી હતી, પરંતુ લગ્ન બાદ આ યુવતીને પતિએ છૂપાવી રાખેલી પોતાના ભૂતકાળ વિશેની એક વાતની જાણ થઈ જતાં બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો, અને મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો. હાલ તો ન્યૂ રાણીપની આ યુવતીને તેનો પતિ છોડીને ઘણા સમયથી અમેરિકા જતો રહ્યો છે. તેવામાં પતિ તેમજ સાસરિયાના ત્રાસનો ભોગ બનેલી આ યુવતીએ અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં દાખલ પોલીસ ફરિયાદ મુજબ ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ ફરિયાદ કરી છે કે, ‘લગ્ન જીવનની શરૂઆતથી જ તેના પતિ અને સાસુ દરેક કામમાં કોઇને કોઇ વાંક કાઢીને નાની નાની બાબતોમાં સાસરિયા મેણાં ટોણાં મારતા હતાં. અવારનવાર કહેતા હતા કે તારે હંમેશા અમારો આભાર માનતા રહેવાનો કે, તને તારી હેસિયત કરતાં વધારે સારું શાહી ઠાઠ-માઠવાળું ઘર મળ્યું. તેમજ આવું હરવા ફરવા સાથે લક્ઝસ્યૂરીયઝ જીવન જીવવાનો મોકો મળ્યો, તો તારે અમારું અહેસાનમંદ રહેવું જોઇએ. તેના પતિ તેને ફરવા થાઈલેન્ડ લઇ ગયા હતાં, પરંતુ ત્યાં પણ પત્ની તરીકેનો કોઇ અધિકાર આપ્યો ના હતો.’

થાઈલેન્ડ ફરીને આવ્યા બાદ જુલાઈ 2022માં યુવતીનો NRI પતિ અમેરિકા જતો રહ્યો હતો, ત્યારબાદ યુવતીને ખબર પડી હતી કે તે તો પહેલાથી જ પરણેલો છે. પતિના અગાઉના લગ્નના ફોટોગ્રાફ યુવતીએ ખુદ પોતાની આંખે જોયા હતા. તેણે આ મામલે પતિ સાથે વાત કરવાની કોશીશ કરી તો તેણે તેને ધમકાવી હતી, અને સાથે જ એવી ધમકી પણ આપી હતી કે જો તેણે ફરી આ વાત કાઢી તો બંનેના ડિવોર્સ થઈ જશે, અને તેને અમેરિકા આવવા પણ નહીં મળે. બીજી તરફ, સાસરિયાનો ત્રાસ વધી જતાં આ યુવતીને પોતાના પિયર ચાલી જવાની નોબત આવી હતી. જોકે, ત્યારબાદ સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરતા યુવતી ફરી નારણપુરા પોતાના સાસરે પાછી આવી હતી પરંતુ ત્યારબાદ પણ સાસુ-સસરાનો ત્રાસ ઓછો નહોતો થયો.

યુવતીએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે સાસરે પાછા ગયા બાદ તેના સાસુ-સસરા તેને માર મારતા હતા. અમેરિકા જવા બાબતે ઝઘડો થતાં સાસરિયાએ આખરે 15 ડિસેમ્બર 2022માં તેને ઘરમાંથી બહાર ધકેલી દીધી હતી. આટલું ઓછું હોય તેમ 19 ડિસેમ્બર 2022માં પતિએ તેને અમેરિકાથી છૂટાછેડાની નોટિસ મોકલાવી હતી. જોકે, યુવતીએ આ અંગે જ્યારે પતિ સાથે વાત કરવાની કોશીશ કરી તો તેણે ફોનનો જવાબ આપવાની તસ્દી પણ નહોતી લીધી. આ ઘટનાક્રમ બાદ યુવતી ડિપ્રેશનમાં સરી પડી હતી, અને આખરે પરિવારજનોએ હિંમત આપતા તેણે સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું. અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસે આ મામલે ઘરેલુ હિંસા સહિતના ગુના હેઠળ NRI યુવક અને તેના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...