Monday, November 17, 2025

અમદાવાદથી એક દિવસની ધાર્મિક યાત્રા કરવી છે તો આ ભવ્ય મંદિરોના દર્શન કરી શકો છો

spot_img
Share

અમદાવાદ : ગુજરાતીઓ એટલે ફરવાના શોખીન. તેમાં પણ માંડ એક દિવસની રજા પણ મળે તો ગુજરાતીઓ કાર લઈને ફરવા ઉપડી પડે. આવામાં જો તમે ભક્તિભાવથી પૂર્ણ થઈને એક દિવસની ધાર્મિક યાત્રા કરવા ઈચ્છો છો તો પણ ગુજરાતમાં ઢગલાબંધ ઓપ્શન અવેલેબલ છે. ખાસ કરીને જો તમે અમદાવાદથી આ ટુર કરવા માંગો છો તો તમે એક દિવસની ટુરમાં અનેક ભવ્ય અને દિવ્ય મંદિરોના દર્શન કરી શકો છો. ત્યારે આ રહ્યું આખું લિસ્ટ

ચોટીલા ધામ
ચોટીલા મંદિર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. આ મંદિર બારોમાસ ભક્તો માટે ખુલ્લુ હોય છે. અમદાવાદથી એક દિવસની ટુરમાં આ મંદિરના દર્શન કરવા જેવા છે. ચોટીલાના ડુંગર પર માતા ચામુંડા બિરાજમાન છે. માતા ચામુંડા 64 જોગણીઓના અવતારમાના એક છે. એક હજાર પગથિયા ચઢીને ઉપર માતાના દર્શન માટે જઈ શકાય છે. નવરાત્રિમાં આ મંદિરનું ખાસ મહત્વ છે. એક દિવસની ટુરમાં આ મંદિરને સૌથી પહેલા સામેલ કરી શકાય

ખોડલધામ
રાજકોટ જિલ્લાના કાગવડમાં આવેલું ખોડલધામ વિશ્વભરમાં લોકપ્રિય બન્યું છે. અહીં પાટીદારોના કુળદેવી ખોડિયાર માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિર જે એટલુ ભવ્ય છે કે તેમને ત્યાંથી પરત ફરવાની ઈચ્છા નહિ થાય. અહી માતા ખોડિયાર સાક્ષાત બિરાજમાન થયા હોય તેવો ભાસ થાય છે. એક દિવસની ટુર માટે આ મંદિર બેસ્ટ છે. રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નં-8-એ પર વચ્ચે આવે છે ચોટીલા. અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 170 કિ.મી અને કાગવડના ખોડલ ધામનું અંતર આશરે 275 કિલોમીટર છે. જયારે રાજકોટથી ચોટિલાનું અંતર આશરે 46 કિ.મી અને કાગવડનું અંતર 61 કિલોમીટર જેટલું થાય છે.

પોઈચા સ્વામીનારાયણ મંદિર
નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર નર્મદા નદીના કાંઠે પોઈચા ગામ પર સ્થિત છે, જે ભરૂચથી આશરે ૮૦ કિ.મી. અને વડોદરાથી ૬૦ કિમી દૂર છે. તે સુંદર સ્વામિનારાયણ મંદિર વિશાળ વિસ્તારમાં બાંધવામાં આવે છે અને સૌથી સુંદર યાત્રાધામ પૈકીનું એક ગુજરાત ની આસપાસ લોકો ને આકર્ષે છે. આ મંદીરના સ્થાને 224 વર્ષ પહેલા ભગવાન નિલકંઠ વિચરતા હતા ત્યારે તેઓએ આ જગ્યાએ નર્મદા નદીમાં સ્નાન કર્યુ હતું. આ ભવ્ય મંદિર 2013માં બાંધવામાં આવ્યું છે, જે 24 એકરમાં પથરાયેલું છે. કલા કોતરણીથી આ મંદિર મનમોહક લાગે છે. ધાર્મિકતા સાથે સંસ્કાર અને પ્રાચીન વૈદીક પરંપરાઓની આજની યુવા પેઢીને અનુભુતી કરાવતુ મંદીર એટલે નીલકંઠધામ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...