Thursday, March 5, 2026

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 18-19 માર્ચે બે દિવસ ગુજરાતની મુલાકાતે, આ ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરશે

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 18 મી શનિવારથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. તેઓ આ મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. શનિવાર અને રવિવારના આ બે દિવસના કાર્યક્રમ દરમિયાન તેઓ સંમેલનો, બેઠકોમાં ઉપસ્થિત રહેશે સાથે વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટના ઉદ્ધાટન પણ કરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગૃહમંત્રી અમિતશાહની ગુજરાત મુલાકાત…
શનિવાર…
શનિવારે સવારે શાહ ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક I ખાતે ભારતીય ડેરી એસોસિએશન દ્વારા આયોજિત 49માં ડેરી ઉદ્યોગ સંમેલનમાં હાજરી આપશે.
ગૃહમંત્રી બાદમાં ગાંધીનગરના સરકીટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (DISHA)ની બેઠકમાં હાજરી આપશે.
શાહ બાદમાં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે બપોરે મફત ભોજન અભિયાનનો પ્રારંભ કરશે
નારદીપુર તળાવનું ઉદ્ઘાટન કરશે અને વાસણ તળાવ અને કલોલના અન્ય વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઈ-ઉદઘાટન કરશે.
વડોદરામાં એમએસ યુનિવર્સિટીના કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે સાંજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે.
અમદાવાદમાં રાણીપ ખાતે સ્વામિનારાયણ પાર્ક ખાતે સાબરમતીના ધારાસભ્ય ડો.હર્ષદભાઈ પટેલના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.

રવિવાર…
રવિવારે જૂનાગઢના APMC દોલતપરા ખાતે કૃષિ શિબિરમાં ગૃહમંત્રી જૂનાગઢ જિલ્લા બેંક હેડક્વાર્ટરનો શિલાન્યાસ કરશે અને APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કરશે.
શાહ બાદમાં સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે અને સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચ કરીને વિવિધ વિકાસ કાર્યોનું ઈ-ઉદઘાટન કરશે.
શાહની ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપ્યા બાદ તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત પૂર્ણ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...