Saturday, February 7, 2026

અમદાવાદના ‘મિ.નટવરલાલ’ની પોલ ખુલી : PMO ના નામે JK માં સરકારી અધિકારીઓને છેતર્યા, Z+ સિક્યોરિટી મેળવી માર્યો રોફ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતી ઠગ એટલે કે મિ.નટવરલાલ કિરણ પટેલે JK ના સરકારી અધિકારીઓને PMOના અધિકારી હોવાનુ કહીને છેતર્યા હોવાની એક ઘટના સામે આવી છે. ઠગબાજની ઠગાઇના અનેક કિસ્સા આપે જોયા હશે, પણ આજે અમે તમને આ મહાઠગ કિરણ પટેલ વિશે જણાવવાના છીએ. જેની ઠગાઇનો શિકાર ઉચ્ચ અધિકારીઓ બન્યા છે. જો કે CIDના ગુપ્ત સૂત્રોના કારણે આ ઠગ કિરણ પટેલને ઝડપી લેવામાં આવ્યો છે.

કિરણ પટેલના કારસ્તાન પર નજર કરીએ તો આરોપી કિરણ પટેલે JKમાં PMOના અધિકારીની ઓળખ આપીને સરકારી કર્મચારીઓને છેતર્યા હતા. એટલું જ નહીં આ ઠગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. ખાસ વાત એ છે કે આરોપી કિરણે PMO ઓફિસના નામે પોલીસ પ્રોટેક્શન અને ઝેડ પ્લસ સિક્યોરિટી મેળવી હતી, તો ફાઈવ સ્ટાર હોટલના રૂમની બહાર પોલીસ પણ ઊભી રાખી હતી.

મહત્વનું છે કે, આ ગુજરાતી ઠગ કિરણ પટેલે આ વર્ષની શરુઆતમાં શ્રીનગરમાં પોતાની બે મુલાકાત દરમિયાન અધિકારીઓ સાથે કેટલીક બેઠકો પણ કરી હતી. પોતાને PMO માં રણનીતિ અને અભિયાનોની જવાબદારી સંભાળનારા અને એડિશનલ ડિરેક્ટર તરીકેની ઓળખ આપનારા કિરણ પટેલને લગભગ 10 દિવસ પહેલાં ઝડપી પાડવામાં આવ્યો હતો, પરંતુ તેની ધરપકડની વાત પોલીસે ગુપ્ત રાખી હતી. ગુરુવારે મેજિસ્ટ્રેટ દ્વારા તેને જ્યુડિશ્યલી કસ્ટીમાં મોકલ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

હદ તો ત્યારે થઇ જ્યારે કડક સુરક્ષા બંદોબસ્ત સાથે તેણે શ્રીનગરના લાલચોક અને ગુલમર્ગની પણ મુલાકાત લીધી. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ આરોપી કિરણ પટેલ ગયા વર્ષના ઓક્ટોબરથી કાશ્મીર ખીણની મુલાકાતે હતો. ધરપકડ કરવામાં આવે તે પહેલા કિરણે ઉરીની કમાન પોસ્ટથી, નિયંત્રણ રેખાની નજીક, શ્રીનગરના લાલ ચોક સુધી પોલીસ પ્રોટેક્શનમાં ફરી આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...