Saturday, February 7, 2026

ન્યુ રાણીપના જય ગૌ માતા સેવા ગ્રુપના સેવાકાર્યો જાણી બોલી ઉઠશો વાહ

spot_img
Share

અમદાવાદ : ગાયમાતા એ પૃથ્વી પરની કામધેનુ કહેવાય છે. આપણે બધા જાણીએ છીએ તેમ, હિન્દુ શાસ્ત્રો અનુસાર ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે, ગાયની અંદર 33 કરોડ દેવો અને દેવીઓનો વાસ માનવામાં આવે છે, જે વ્યક્તિ ગાયની સેવા કરે છે તેના જીવનમાં શુભ પરિણામ મળે છે.આજે વાત કરીશું એવા ગ્રુપની જેઓ છેલ્લા 22 મહિનાઓથી અવિરત ગાયોને ઘાસ અને શ્વાનોને દૂધ પીવડાવી અનોખી જીવદયા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલ જય ગૌ માતા સેવા ગ્રુપના ફાઉન્ડર સમીર શાહે જણાવ્યું હતું કે, અમારું ગ્રૂપ છેલ્લા 22 મહીનાથી કાર્યરત છે, ગ્રુપના અન્ય સભ્યો પૂર્વાગ ઠાકર, અમીત ત્રિવેદી,ગોવિંદ મિશ્રા સહિતના અનેક મિત્રો શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય અમારા ગ્રુપ દ્વારા આશ્રય-9 સામે આવેલ ખુલ્લા પ્લોટમાં ગાયોને ઘાસ અને શ્વાનોને દૂધ પીવડાવીએ છીએ.અમારે કોઈક વાર બહાર જવાનું થાય અથવા અંબાજી જવાનું થાય તો અમે સેવાકાર્ય થોડુ વહેલું કરીયે છે અને આમ તો અમારુ કાયઁ કરવાનો ટાઈમ રાત્રે 9-00 વાગે કરીએ છે.

માં અંબાના ભક્ત સમીર શાહ વધુમાં જણાવે છે કે અબોલા પશુઓને સવારે તો બધા ખવડાવે છે પરંતુ રાત્રે અબોલ પશુઓને ભોજન મળવું મુશ્કેલ બની જાય છે એટલે અમે આ સેવાકાર્ય રાતે જ કરીએ છીએ. શરૂઆતમાં એક નાની રકમથી આ ગ્રુપ શરૂ કર્યું હતું, માં અંબાએ હજુ સુધી કોઈની પાસે માંગવું પડ્યું નથી. આ પ્રસંગે તેઓએ સર્વે દાતાશ્રીઓનો પણ સહકાર બદલ આભાર માન્યો હતો.

તાજેતરમાં ગુજરાતના ખેરાલુ વિધાનસભાના ધારાસભ્યએ પણ ગ્રુપની સેવાકાર્યની નોંધ લઇ સન્માન પત્રક એનાયત કરવામાં આવ્યું હતું. માણસ તો માગીને ખાઈ લેશે પરંતુ મુગા પશુ બોલતા નથી…તો આવા અબોલ પશુઓ ભોજન કરાવનાર ગ્રુપને સેવા કાર્યને મિર્ચી ન્યુઝ પરિવાર [પણ બિરદાવે છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...