Thursday, November 13, 2025

ન્યુ રાણીપના જય ગૌ માતા સેવા ગ્રુપના સેવાકાર્યો જાણી બોલી ઉઠશો વાહ

spot_img
Share

અમદાવાદ : ગાયમાતા એ પૃથ્વી પરની કામધેનુ કહેવાય છે. આપણે બધા જાણીએ છીએ તેમ, હિન્દુ શાસ્ત્રો અનુસાર ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે, ગાયની અંદર 33 કરોડ દેવો અને દેવીઓનો વાસ માનવામાં આવે છે, જે વ્યક્તિ ગાયની સેવા કરે છે તેના જીવનમાં શુભ પરિણામ મળે છે.આજે વાત કરીશું એવા ગ્રુપની જેઓ છેલ્લા 22 મહિનાઓથી અવિરત ગાયોને ઘાસ અને શ્વાનોને દૂધ પીવડાવી અનોખી જીવદયા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલ જય ગૌ માતા સેવા ગ્રુપના ફાઉન્ડર સમીર શાહે જણાવ્યું હતું કે, અમારું ગ્રૂપ છેલ્લા 22 મહીનાથી કાર્યરત છે, ગ્રુપના અન્ય સભ્યો પૂર્વાગ ઠાકર, અમીત ત્રિવેદી,ગોવિંદ મિશ્રા સહિતના અનેક મિત્રો શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય અમારા ગ્રુપ દ્વારા આશ્રય-9 સામે આવેલ ખુલ્લા પ્લોટમાં ગાયોને ઘાસ અને શ્વાનોને દૂધ પીવડાવીએ છીએ.અમારે કોઈક વાર બહાર જવાનું થાય અથવા અંબાજી જવાનું થાય તો અમે સેવાકાર્ય થોડુ વહેલું કરીયે છે અને આમ તો અમારુ કાયઁ કરવાનો ટાઈમ રાત્રે 9-00 વાગે કરીએ છે.

માં અંબાના ભક્ત સમીર શાહ વધુમાં જણાવે છે કે અબોલા પશુઓને સવારે તો બધા ખવડાવે છે પરંતુ રાત્રે અબોલ પશુઓને ભોજન મળવું મુશ્કેલ બની જાય છે એટલે અમે આ સેવાકાર્ય રાતે જ કરીએ છીએ. શરૂઆતમાં એક નાની રકમથી આ ગ્રુપ શરૂ કર્યું હતું, માં અંબાએ હજુ સુધી કોઈની પાસે માંગવું પડ્યું નથી. આ પ્રસંગે તેઓએ સર્વે દાતાશ્રીઓનો પણ સહકાર બદલ આભાર માન્યો હતો.

તાજેતરમાં ગુજરાતના ખેરાલુ વિધાનસભાના ધારાસભ્યએ પણ ગ્રુપની સેવાકાર્યની નોંધ લઇ સન્માન પત્રક એનાયત કરવામાં આવ્યું હતું. માણસ તો માગીને ખાઈ લેશે પરંતુ મુગા પશુ બોલતા નથી…તો આવા અબોલ પશુઓ ભોજન કરાવનાર ગ્રુપને સેવા કાર્યને મિર્ચી ન્યુઝ પરિવાર [પણ બિરદાવે છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...