Wednesday, September 17, 2025

ભ્રષ્ટાચારના બ્રિજ સામે ઉગ્ર આંદોલન, AMCની ઓફિસ બહાર બહાર કાળા કપડાં પહેરી કોંગેસનો ચક્કાજામ

Share

Share

અમદાવાદ : શહેરના હાટકેશ્વર બ્રિજ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠની બહાર વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ ચક્કાજામ કર્યો હતો. તમામ લોકોએ કાળા કપડાં પહેરીને વિરોધ કર્યો હતો. પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર કરાતો હોવાને લઇ ટેક્સ બિલ બાળીને વિરોધ કરાયો હતો. કમિશનરને આવેદનપત્ર આપીને ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતિ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

AMC વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યુ હતુ કે, ‘અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ચાલતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર ડામવા તપાસના આદેશો કમિશનર દ્વારા અપાવવા જોઇએ. ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા જવાબદાર કસૂરવારો સામે કાર્યવાહીના આદેશ આપવા જોઇએ. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જેવી સંસ્થાને માથે લાગેલા ભ્રષ્ટાચારનાં ટેગને નાબૂદ કરવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ કમિશનર સમક્ષ આવેદન પત્ર આપી કરી છે.’

વિપક્ષે કયા-કયા આરોપો લગાવ્યાં?
હાટકેશ્વર બ્રિજના કામમાં થયેલી ગેરરીતિ અને ભષ્ટ્રાચાર રોડ રીસરફેસના કરોડો રૂપિયાના કાર્યોમાં હલકી ગુણવત્તાવાળા કામ થયું
કાંકરીયા વોટરપાર્ક, વસ્ત્રાપુર એમ્યૂઝમેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટરનો ભૂતકાળ વિવાદિત હોવા છતાં તેને બ્લેકલિસ્ટ કરવાને બદલે વધુ નવા કામો આપ્યાં
ભષ્ટ્રાચારને કારણે નાણાંકીય પરિસ્થિતિ ખાડે જવી વિકાસ કાર્યો કરવા માટે મ્યુ. કોર્પોને દેવું કરવું પડ્યું હતું
મ્યુનિસિપલ કમિશનરને બજેટમાં કાપ મૂકવો પડ્યો છે એટલે વિકાસના કામો દેવું કરીને કરવાના થાય છે
કચરાના નિકાલના નામે સ્માર્ટ ભ્રષ્ટાચાર
પીપીપી ધોરણે મળતીયા કંપની/કોન્ટ્રાકટરોને લ્હાણી
હાઉસિંગ પ્રોજેકટ તથા એ.એમ.ટી.એસના વિવિધ કાર્યો
ડ્રેનેજ પ્રોજેકટ તથા વોટર પ્રોજેક્ટના વિવિધ કામો પણ ભ્રષ્ટાચાર થયો

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...