Tuesday, November 11, 2025

ભ્રષ્ટાચારના બ્રિજ સામે ઉગ્ર આંદોલન, AMCની ઓફિસ બહાર બહાર કાળા કપડાં પહેરી કોંગેસનો ચક્કાજામ

spot_img
Share

અમદાવાદ : શહેરના હાટકેશ્વર બ્રિજ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠની બહાર વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ ચક્કાજામ કર્યો હતો. તમામ લોકોએ કાળા કપડાં પહેરીને વિરોધ કર્યો હતો. પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર કરાતો હોવાને લઇ ટેક્સ બિલ બાળીને વિરોધ કરાયો હતો. કમિશનરને આવેદનપત્ર આપીને ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતિ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

AMC વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યુ હતુ કે, ‘અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ચાલતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર ડામવા તપાસના આદેશો કમિશનર દ્વારા અપાવવા જોઇએ. ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા જવાબદાર કસૂરવારો સામે કાર્યવાહીના આદેશ આપવા જોઇએ. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જેવી સંસ્થાને માથે લાગેલા ભ્રષ્ટાચારનાં ટેગને નાબૂદ કરવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ કમિશનર સમક્ષ આવેદન પત્ર આપી કરી છે.’

વિપક્ષે કયા-કયા આરોપો લગાવ્યાં?
હાટકેશ્વર બ્રિજના કામમાં થયેલી ગેરરીતિ અને ભષ્ટ્રાચાર રોડ રીસરફેસના કરોડો રૂપિયાના કાર્યોમાં હલકી ગુણવત્તાવાળા કામ થયું
કાંકરીયા વોટરપાર્ક, વસ્ત્રાપુર એમ્યૂઝમેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટરનો ભૂતકાળ વિવાદિત હોવા છતાં તેને બ્લેકલિસ્ટ કરવાને બદલે વધુ નવા કામો આપ્યાં
ભષ્ટ્રાચારને કારણે નાણાંકીય પરિસ્થિતિ ખાડે જવી વિકાસ કાર્યો કરવા માટે મ્યુ. કોર્પોને દેવું કરવું પડ્યું હતું
મ્યુનિસિપલ કમિશનરને બજેટમાં કાપ મૂકવો પડ્યો છે એટલે વિકાસના કામો દેવું કરીને કરવાના થાય છે
કચરાના નિકાલના નામે સ્માર્ટ ભ્રષ્ટાચાર
પીપીપી ધોરણે મળતીયા કંપની/કોન્ટ્રાકટરોને લ્હાણી
હાઉસિંગ પ્રોજેકટ તથા એ.એમ.ટી.એસના વિવિધ કાર્યો
ડ્રેનેજ પ્રોજેકટ તથા વોટર પ્રોજેક્ટના વિવિધ કામો પણ ભ્રષ્ટાચાર થયો

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...