Wednesday, March 11, 2026

ભ્રષ્ટાચારના બ્રિજ સામે ઉગ્ર આંદોલન, AMCની ઓફિસ બહાર બહાર કાળા કપડાં પહેરી કોંગેસનો ચક્કાજામ

spot_img
Share

અમદાવાદ : શહેરના હાટકેશ્વર બ્રિજ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ આજે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠની બહાર વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ ચક્કાજામ કર્યો હતો. તમામ લોકોએ કાળા કપડાં પહેરીને વિરોધ કર્યો હતો. પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર કરાતો હોવાને લઇ ટેક્સ બિલ બાળીને વિરોધ કરાયો હતો. કમિશનરને આવેદનપત્ર આપીને ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતિ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

AMC વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યુ હતુ કે, ‘અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ચાલતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર ડામવા તપાસના આદેશો કમિશનર દ્વારા અપાવવા જોઇએ. ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા જવાબદાર કસૂરવારો સામે કાર્યવાહીના આદેશ આપવા જોઇએ. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જેવી સંસ્થાને માથે લાગેલા ભ્રષ્ટાચારનાં ટેગને નાબૂદ કરવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ કમિશનર સમક્ષ આવેદન પત્ર આપી કરી છે.’

વિપક્ષે કયા-કયા આરોપો લગાવ્યાં?
હાટકેશ્વર બ્રિજના કામમાં થયેલી ગેરરીતિ અને ભષ્ટ્રાચાર રોડ રીસરફેસના કરોડો રૂપિયાના કાર્યોમાં હલકી ગુણવત્તાવાળા કામ થયું
કાંકરીયા વોટરપાર્ક, વસ્ત્રાપુર એમ્યૂઝમેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટરનો ભૂતકાળ વિવાદિત હોવા છતાં તેને બ્લેકલિસ્ટ કરવાને બદલે વધુ નવા કામો આપ્યાં
ભષ્ટ્રાચારને કારણે નાણાંકીય પરિસ્થિતિ ખાડે જવી વિકાસ કાર્યો કરવા માટે મ્યુ. કોર્પોને દેવું કરવું પડ્યું હતું
મ્યુનિસિપલ કમિશનરને બજેટમાં કાપ મૂકવો પડ્યો છે એટલે વિકાસના કામો દેવું કરીને કરવાના થાય છે
કચરાના નિકાલના નામે સ્માર્ટ ભ્રષ્ટાચાર
પીપીપી ધોરણે મળતીયા કંપની/કોન્ટ્રાકટરોને લ્હાણી
હાઉસિંગ પ્રોજેકટ તથા એ.એમ.ટી.એસના વિવિધ કાર્યો
ડ્રેનેજ પ્રોજેકટ તથા વોટર પ્રોજેક્ટના વિવિધ કામો પણ ભ્રષ્ટાચાર થયો

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...