Tuesday, February 10, 2026

અકસ્માતમાં પગ ગુમાવ્યો ને નોકરી પણ ગઈ, એક પગે ઉભા રહીને ટી-સ્ટોલ ચલાવતી નેહા ભટ્ટને સો-સો સલામ

spot_img
Share

અમદાવાદ : સાબરમતી રિવરફ્રંટ ઈવેન્ટ સેન્ટર પાસેથી પસાર થયા હશો તો તમે નકલી પગ લગાવેલા એક મહિલાને ચા વેચતાં કદાચ નજરે પડ્યા હશે. અહીં ચાની કીટલી ચલાવતાં નેહા ભટ્ટના હિંમત, સાહસ અને મહત્વાકાંક્ષાના કિસ્સાએ સોશિયલ મીડિયા પર તરખાટ મચાવ્યો છે. નેહા ભટ્ટે 18 મહિના પહેલા અકસ્માતમાં તેમનો પગ ગુમાવ્યો હતો. તાજેતરમાં જ તેમણે રિવરફ્રંટ પાસે ‘એમ્પ્યુટી’ નામનો ટી-સ્ટોલ શરૂ કર્યો છે.

નવેમ્બર-2021માં નેહા જ્યારે અમદાવાદથી સૌરાષ્ટ્રના મહુવા ખાતે બસમાં મુસાફરી કરી રહી હતી ત્યારે તેને ગંભીર અકસ્માત નડ્યો હતો. તેની બસની સામેની દિશામાંથી આવી રહેલી એક ટ્રકે નેહાની બસને જોરદાર ટક્કર મારી હતી. જેમાં નેહાને ગંભીર ઇજા થઇ હતી, જેના પગલે તેને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. તેનો ડાબો પગ ખૂબ જ ખરાબ રીતે છુંદાઇ ગયો હતો.જેથી નેહાને બચાવી લેવાના હેતુથી ડોક્ટરોને તેનો ડાબો પગ કાપી નાંખવાની ફરજ પડી હતી.

આ દુર્ઘટના બાદ નેહાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ બહાદુર નેહા સહેજપણ હિંમત હારી નહોતી. બાદમાં ક્રાઉડ ફંડિંગની મદદથી તેણે રૂ. 10 લાખનું ભંડોળ એકઠું કર્યું હતું. આ અકસ્માત બાદ તેને જુદા જુદા પ્રકારની મેડિકલ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું અને છેલ્લે તેનો પગ કાપી નાંખી તેના સ્થાને કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો હતો.

અહીંથી જ તેમના જીવનમાં સંઘર્ષની શરૂઆત થઈ હતી. પરંતુ તેમણે હાર ના માની અને ક્રાઉડ ફંડિંગ થકી ઓપરેશન માટે 10 લાખ રૂપિયા એકત્ર કર્યા હતા. કેટલીય મેડિકલ પ્રક્રિયામાંથી પસાર થયા અને લોકોએ કરેલી મદદને પગલે તેઓ પોતાના માટે પ્રોસ્થેટિક લેગ બનાવડાવી શક્યા હતા. નેહા પ્રી-પ્રાયમરી ક્લાસના શિક્ષિકા હતા પરંતુ અકસ્માતના કારણે તેઓ બાળકોની કાળજી રાખી શકે તેમ નહોતા એટલે નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો.

સ્વભાવે બહાદુર અને આત્મસન્માન વાળી નેહાએ કોઇના પણ માથે પડ્યા વિના માતા-પિતાની મદદથી શહેરના રિવરફ્રન્ટ ઉપર ટી-સ્ટોલ શરૂ કર્યો. નેહાની કીટલીના ફોટોઝ અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર ધીમે-ધીમે વાયરલ થતાં રહ્યા. જે બાદ લોકો આવતા ગયા અને તેમને સપોર્ટ કરતાં ગયા. એક પગે ઉભા રહીને ટી-સ્ટોલ ચલાવતી નેહા ભટ્ટને સો-સો સલામ…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...