19.2 C
Gujarat
Friday, February 14, 2025

આવતીકાલે અમદાવાદનો અટલ બ્રિજ મુલાકાતીઓ માટે આ કારણે બપોર પછી રહેશે બંધ, જાણો વિગત

Share

અમદાવાદ : આવતીકાલથી ગાંધીનગર ખાતે જી 20 સમિટનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે પ્રથમ દિવસે આ સમિટમાં જળ સંપત્તિને લઈને બેઠક યોજાવાની છે. જેથી ડેલીગેશન નર્મદા અને સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે. જેને લઈને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લી. દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું છે કે આવતીકાલથી તા.27 માર્ચના રોજ અટલ બ્રિજની ટિકિટ બપોરે 2:00 વાગ્યા સુધી મળશે. ત્યાર બાદ બપોરે 3:00થી રાત્રિના 9:00 વાગ્યા સુધી અટલ બ્રીજ જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગાંધીનગર ખાતે જી 20 સમિટ અંતર્ગત બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં આંતરરાષ્ટ્રીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 27 માર્ચે જળ સંપત્તિને લઈ બેઠક યોજાશે. જેમાં ડેલીગેશન નર્મદા અને સાબરમતી રિવરરફ્રન્ટની મુલાકાત લેશે. તેમજ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જની બેઠક પણ આવતીકાલે યોજાશે.જેથી મુલાકાતીઓ માટે બપોરે 3:00થી રાત્રિના 9:00 વાગ્યા સુધી અટલ બ્રીજ જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles