Tuesday, March 10, 2026

નવા વાડજમાં અંબાજી મંદિર ખાતે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરાયું

spot_img
Share

અમદાવાદ : નવરાત્રીમાં સમગ્ર ગુજરાતમાં દરેક માઇ મંદિરોમાં ભક્તિ ભાવપૂર્વક યજ્ઞો થતા હોય છે. બુધવારના રોજ ચૈત્રી આઠમે નવા વાડજમાં આકાશદીપ એપાર્ટમેન્ટ ખાતે આવેલ અંબાજી મંદિરે સવારે આરતી બાદ 9.00 કલાક થી નવચંડી યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો .જેમાં સમીર શાહ અને દીપા સમીર શાહ સહીત અનેક લોકોએ નવચંડી યજ્ઞમાં લાભ લીધો હતો. તેમજ સાંજના ૫:૦૦ કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું અને રાત્રી 8-30 કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો.

નવા વાડજમાં અખબારનગર સર્કલ પાસે આવેલ આકાશદીપ એપાર્ટમેન્ટ ખાતે આવેલ અંબાજી મંદિરને પણ ચૈત્રી નવરાત્રી નિમિત્તે ખાસ પ્રકારે શણગાર કરવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીને ધજા ચડાવવામાં આવી હતી.બુધવારે પણ ચૈત્રી આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હોવાથી માતાજીના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. છેલ્લા બે વર્ષથી કોરોના કાળના કારણે કોઈ મોટા ધાર્મિક ઉત્સવો થયા ન હતા. પરંતુ હવે પરિસ્થિતિ નહિવત થતા વર્ષોની પરંપરા મુજબ બધા ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

ચૈત્રી નવરાત્રિનું મહત્વ ખાસ ગણવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી દરમ્યાન અનેક માઇભક્તોને સાચી શ્રદ્ધાથી અરજ કરનાર માતાનો પરચો મળી રહે છે. ન્યુ રાણીપના એક માઇભકતે પ્રથમ નોરતે છેલ્લા 11 મહિનાથી અટકેલ કામ અંગે અંબાજી મંદિર ખાતે ખાસ અરજ માઇભક્ત સમીર શાહ દ્વારા કરવામાં આવતા આઠમા નોરતે જ સારા સમાચાર મળતા મંદિર ખાતે માથું ટેકવી આશિર્વાદ લીધા હતા.આમ આવા અનેક પરચા મળતા મંદિર ખાતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતા થયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...