Thursday, December 11, 2025

નવા વાડજમાં અંબાજી મંદિર ખાતે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરાયું

spot_img
Share

અમદાવાદ : નવરાત્રીમાં સમગ્ર ગુજરાતમાં દરેક માઇ મંદિરોમાં ભક્તિ ભાવપૂર્વક યજ્ઞો થતા હોય છે. બુધવારના રોજ ચૈત્રી આઠમે નવા વાડજમાં આકાશદીપ એપાર્ટમેન્ટ ખાતે આવેલ અંબાજી મંદિરે સવારે આરતી બાદ 9.00 કલાક થી નવચંડી યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો .જેમાં સમીર શાહ અને દીપા સમીર શાહ સહીત અનેક લોકોએ નવચંડી યજ્ઞમાં લાભ લીધો હતો. તેમજ સાંજના ૫:૦૦ કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું અને રાત્રી 8-30 કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો.

નવા વાડજમાં અખબારનગર સર્કલ પાસે આવેલ આકાશદીપ એપાર્ટમેન્ટ ખાતે આવેલ અંબાજી મંદિરને પણ ચૈત્રી નવરાત્રી નિમિત્તે ખાસ પ્રકારે શણગાર કરવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીને ધજા ચડાવવામાં આવી હતી.બુધવારે પણ ચૈત્રી આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હોવાથી માતાજીના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. છેલ્લા બે વર્ષથી કોરોના કાળના કારણે કોઈ મોટા ધાર્મિક ઉત્સવો થયા ન હતા. પરંતુ હવે પરિસ્થિતિ નહિવત થતા વર્ષોની પરંપરા મુજબ બધા ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

ચૈત્રી નવરાત્રિનું મહત્વ ખાસ ગણવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી દરમ્યાન અનેક માઇભક્તોને સાચી શ્રદ્ધાથી અરજ કરનાર માતાનો પરચો મળી રહે છે. ન્યુ રાણીપના એક માઇભકતે પ્રથમ નોરતે છેલ્લા 11 મહિનાથી અટકેલ કામ અંગે અંબાજી મંદિર ખાતે ખાસ અરજ માઇભક્ત સમીર શાહ દ્વારા કરવામાં આવતા આઠમા નોરતે જ સારા સમાચાર મળતા મંદિર ખાતે માથું ટેકવી આશિર્વાદ લીધા હતા.આમ આવા અનેક પરચા મળતા મંદિર ખાતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતા થયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...