Monday, July 20, 2026

નવા વાડજમાં અંબાજી મંદિર ખાતે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરાયું

spot_img
Share

અમદાવાદ : નવરાત્રીમાં સમગ્ર ગુજરાતમાં દરેક માઇ મંદિરોમાં ભક્તિ ભાવપૂર્વક યજ્ઞો થતા હોય છે. બુધવારના રોજ ચૈત્રી આઠમે નવા વાડજમાં આકાશદીપ એપાર્ટમેન્ટ ખાતે આવેલ અંબાજી મંદિરે સવારે આરતી બાદ 9.00 કલાક થી નવચંડી યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો .જેમાં સમીર શાહ અને દીપા સમીર શાહ સહીત અનેક લોકોએ નવચંડી યજ્ઞમાં લાભ લીધો હતો. તેમજ સાંજના ૫:૦૦ કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું અને રાત્રી 8-30 કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો.

નવા વાડજમાં અખબારનગર સર્કલ પાસે આવેલ આકાશદીપ એપાર્ટમેન્ટ ખાતે આવેલ અંબાજી મંદિરને પણ ચૈત્રી નવરાત્રી નિમિત્તે ખાસ પ્રકારે શણગાર કરવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીને ધજા ચડાવવામાં આવી હતી.બુધવારે પણ ચૈત્રી આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હોવાથી માતાજીના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. છેલ્લા બે વર્ષથી કોરોના કાળના કારણે કોઈ મોટા ધાર્મિક ઉત્સવો થયા ન હતા. પરંતુ હવે પરિસ્થિતિ નહિવત થતા વર્ષોની પરંપરા મુજબ બધા ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

ચૈત્રી નવરાત્રિનું મહત્વ ખાસ ગણવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી દરમ્યાન અનેક માઇભક્તોને સાચી શ્રદ્ધાથી અરજ કરનાર માતાનો પરચો મળી રહે છે. ન્યુ રાણીપના એક માઇભકતે પ્રથમ નોરતે છેલ્લા 11 મહિનાથી અટકેલ કામ અંગે અંબાજી મંદિર ખાતે ખાસ અરજ માઇભક્ત સમીર શાહ દ્વારા કરવામાં આવતા આઠમા નોરતે જ સારા સમાચાર મળતા મંદિર ખાતે માથું ટેકવી આશિર્વાદ લીધા હતા.આમ આવા અનેક પરચા મળતા મંદિર ખાતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવતા થયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...