Saturday, March 7, 2026

સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમેરાશે નવું આકર્ષણ, વિદેશની વોટર સ્પોર્ટસ કાયાકિંગ બોટનું લોકાર્પણ થશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ગુજરાત અને દેશ માટે એક લેન્ડ માર્ક બની ગયું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર એક પછી એક નવી એક્ટિવમાં ઉમેરો થઇ રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ કંપની અમદાવાદીઓ માટે વોટર સ્પોર્ટની એક ભેટ આપવા જઇ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ રિવરફ્રન્ટ ખાતે કાયાકિંગ બોટનો ઉમેરો થઇ રહ્યો છે. આથી સાબરમતી રિવરફ્રન્ટના આકર્ષણમાં વધારો થશે.સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર સ્પોર્ટની શરૂઆત થઇ રહી છે. કિયાકિંગની મજા હવે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે માણી શકાશે. સાબરમતી રિવરફ્રન્ટના સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ તરફ કાયાકિંગની રમત શરૂ કરાશે.

રિવરફ્રન્ટ પર શુક્રવારથી 10 કાયાકિંગ બોટ શરૂ કરવામાં આવશે. કેળાના આકારની આ બોટ ડૂબે નહીં તેવી છે. લોકો સિંગલ કે ડબલ સીટર બોટમાં એક સ્લોટ અડધાથી પોણા કલાકનો રહેશે. કાયાકિંગ બોટ માટે ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા નથી પરંતુ વ્યક્તિ દીઠ રૂ.300 કે તેથી વધુ ટિકિટ રહેવાની શક્યતા છે.

શુક્રવારે લોકાર્પણ પછી શનિવારથી લોકો માટે શરૂ કરાશે. 12 વર્ષથી ના બાળકને સિંગલ બોટ નહીં મળે. બોટિંગનો સમય સવારે 6થી સાંજે 6 સુધીનો રહેશે. ટિકિટ માત્ર ઓનલાઈન મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...