Wednesday, March 4, 2026

સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરે જતાં ભક્તો માટે સૌથી મોટા સમાચાર, દર્શનના સમયમાં કરાયો વધારો

spot_img
Share

અમદાવાદ: આજે શ્રી હનુમાન જયંતિનો પાવન પર્વ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા કેમ્પ હનુમાન મંદિર ખાતે ભક્તોની મોટી ભીડ ઉમટી છે. ત્યારે કેમ્પ હનુમાનમાં આજે જય હનુમાન, જય શ્રીરામના નારાથી મંદિર ગુંજી ઉઠ્યું છે. 9 ગ્રહોની આકૃતિ સાથે 1100 કિલો બુંદીના લાડુનો પ્રસાદ દાદાને અર્પણ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ હનુમાન જયંતિ નિમિતે વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું છે. ત્યારબાદ ધ્વજારોહણ બાદ બપોરે ભક્તો માટે ભંડારો પણ રાખવામાં આવ્યો છે. કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટી પાર્થિવ અધ્વર્યુએ જણાવ્યું હતું કે, મંદિર ભક્તો માટે રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. તમામ ભક્તોને બુંદીનો પ્રસાદ આપવામાં આવશે, હનુમાન જયંતિ હોય એટલે 60 થી 70 હજાર દાદાના ભક્તો દર્શન માટે આવતા હોય છે.

પરંતુ દાદાના ભક્તો માટે આજે એક ખુશખબર મળી રહ્યા છે. હવેથી કેમ્પ હનુમાન મંદિર ભક્તો માટે સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મંગળવાર અને શનિવારે કેમ્પ હનુમાનના દર્શન ભક્તો રાત્રે 11 વાગ્યા સુધી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કેમ્પ હનુમાન મંદિર રાત્રે 8 વાગ્યા સુધી જ ભક્તો માટે ખુલ્લું રહેતું હતું. જેનો સમય વધારવામાં આવ્યો છે.

કેમ્પ હનુમાનમાં દર્શનનો સમય અત્યાર સુધી સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી હતો. જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મંગળવાર અને શનિવારે સવારે 6 થી રાતના 11 વાગ્યા સુધી દર્શન થશે. આ સિવાયના દિવસે સવારે 6થી રાતના 9 વાગ્યા સુધી દર્શન થશે. બપોરના સમયે પણ મંદિર ચાલુ રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...