Wednesday, June 17, 2026

અમદાવાદમાં વધુ એક બ્રિજ બન્યો જોખમી, તિરાડો દેખાતા બ્રિજ નીચે ટેકા મુકવામાં આવ્યાં

spot_img
Share

અમદાવાદ : પહેલા હાટકેશ્વર બ્રિજ પછી આશ્રમરોડ પરનો બ્રિજ અને હવે ચાંદલોડિયાનો બ્રિજ વિવાદમાં આવ્યો છે. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા પંડિત દિન દયાળ ઉપાધ્યાય ઓવર બ્રિજ નીચે ટેકા મુકવામાં આવ્યા છે જેને લઈને સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે. આ બ્રિજ પર અનેક જગ્યાએ તિરાડો દેખાઈ રહી છે જેના કારણે બ્રિજ પર અકસ્માત સર્જાય તેવી દહેશત રહે છે.બીજી તરફ આ બ્રિજનો ઉપયોગ કરનારા સ્થાનિકોને જીવનું જોખમ હોવાની ચિંતા થઈ રહી છે. મહત્વનું છે કે આ પહેલા ખોખરા બ્રિજની ખખડેલી હાલતના કારણે ઘણાં સવાલો ઉઠ્યા હતા.

ચાંદલોડિયા બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું પછી પણ તેની નીચે જે ટેકા મૂકવામાં આવ્યા છે તે જોઈને લોકોના જીવ અધ્ધર થઈ રહ્યા છે. બ્રિજનું 2016માં સમારકામ કરવામાં આવ્યું હતું છતાં આવી સ્થિતિ સર્જાઈ છે.રિપેરિંગ પછી પણ આવી સ્થિતિ જોઈને લોકોને અનેક સવાલો થઈ રહ્યા છે. આ અંગે સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે, અમે બ્રિજની પાસે નજીકમાં અમે કાયમ બેસીએ છીએ ત્યારે આ સ્થિતિ જોઈને બહુ ડર લાગે છે, બ્રિજ આખો ધ્રૂજે છે. વાહન નીકળે તો ધરતીકંપ આવ્યો હોય એવું લાગે છે.

એક સ્થાનિકે જણાવ્યું કે અહીં 7 વર્ષથી ટેકા લગાવેલા છે, બ્રિજની ઉપર અને નીચે બન્ને તરફ ટ્રાફિક થાય છે. બ્રિજની સ્થિતિ જોઈને લોકોને ડર લાગી રહ્યો છે. બ્રિજ પર ઘણી જગ્યાએ પર તિરાડો પડેલી જોવા મળી રહી છે. ઔડાના સમયમાં બનેલા બ્રિજમાં રેલવેના પોર્શન પાસે ટેકા મૂકવામાં આવ્યા છે. હવે આ બ્રિજનું સમારકામ ક્યારે કરવામાં આવશે તેને લઈને લોકોને સવાલો થઈ રહ્યા છે.

કોર્પોરેશનની ટીમ આવીને આ બ્રિજનું ચેકિંગ કરે તેવી સ્થાનિકોની માગ છે. વર્ષ 2000માં આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ 2016માં રેલવે લાઈન પસાર થાય તે સાઈડના કેટલાક ભાગમાં નુકસાન થતાં રેલવે વિભાગને પત્ર લખવામાં આવ્યો હતો. બ્રિજનું રિપેરિંગ કરવાની રેલવે વિભાગને જાણ કરાઈ હતી જો કે હજુ સુધી કોઈપણ પ્રકારનું કામ કરવામાં આવ્યું નથી.

શું બ્રિજનું કોઈ સમારકામ કરવામાં આવશે કે પછી આ રીતે જ ટેકા પર ઉભો રાખવામાં આવશે તેવી ચિંતા પણ સ્થાનિકોને તથા તેનો ઉપયોગ કરનારા લોકોને થઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...