Friday, November 28, 2025

PM મોદીની BJP કાર્યકર સાથેની ખાસ સેલ્ફી, આ સેલ્ફીની સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચા

spot_img
Share

ચેન્નાઈ : PM મોદી હાલ દક્ષિણ ભારતના પ્રવાસે છે. શનિવારે, તેઓ તેમના બે દિવસીય પ્રવાસના પ્રથમ તબક્કામાં ચેન્નાઈમાં હતા. જ્યારે ચેન્નાઈમાં PM મોદીએ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. આ પછી તેમણે અન્ય એક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. પરંતુ ચેન્નાઈમાં PM મોદીના અન્ય કાર્યક્રમોની સાથે એક કાર્યકર સાથેની તેમની સેલ્ફી પણ ચર્ચામાં છે.

PM નરેન્દ્ર મોદીએ શનિવારે ચેન્નાઈની મુલાકાત દરમિયાન BJPના દિવ્યાંગ કાર્યકર સાથે ખાસ સેલ્ફી લીધી. PM મોદીએ આ સેલ્ફી પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. આ ટ્વીટમાં તેણે દિવ્યાંગ કાર્યકરના પણ ખૂબ વખાણ કર્યા છે. PM દ્વારા લેવામાં આવેલી આ સેલ્ફીની સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચા થઈ રહી છે. PM મોદીની આ ખાસ સેલ્ફીને સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યી છે.

PM નરેન્દ્ર મોદીએ જેની સાથે ખાસ સેલ્ફી લીધી તે દિવ્યાંગ કાર્યકરનું નામ થિરુ એસ મણિકંદન છે. મણિકંદન ઈરોડના BJPના કાર્યકર છે. આ સાથે તેઓ બૂથ પ્રમુખ પણ છે. મણિકંદન સાથે સેલ્ફી શેર કરતી વખતે PM મોદીએ કહ્યું કે, તેઓ ચેન્નાઈમાં થિરુ એસ. મણિકંદનને મળ્યા હતા. તેઓ ઈરોડના BJPના સમર્પિત કાર્યકર છે. તેઓ BJPના બુથ પ્રમુખ તરીકે પણ કામ કરી રહ્યા છે.

PMએ વધુમાં જણાવ્યું કે મણિકંદન એક દિવ્યાંગ વ્યક્તિ છે અને તે પોતાની દુકાન ચલાવે છે. સૌથી મહત્વની વાત એ છે કે તે પોતાની આવકનો એક ભાગ ભાજપને આપે છે. મણિકંદનના વખાણ કરતા PM મોદીએ કહ્યું કે આવા કાર્યકર પર મને ગર્વ છે. તેમણે કહ્યું કે મણિકંદનની જીવનયાત્રા અમારી પાર્ટી અને અમારી વિચારધારા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પ્રેરિત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે PM મોદી શનિવારે હૈદરાબાદ અને ચેન્નાઈના પ્રવાસે હતા. બંને સ્થળોએ, તેમણે લગભગ 13700 કરોડના પ્રોજેક્ટનુ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. હૈદરાબાદમાં, તેમણે સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. જ્યારે ચેન્નાઈમાં તેમણે નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...