Wednesday, November 19, 2025

નારણપુરામાં 104 કરોડના ખર્ચે બનતા પલ્લવ બ્રિજની કામગીરી બંધ કરાતા વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદનાં નારણપુરામાં પ્રગતિનગર ચાર રસ્તા પર 104 કરોડ રુપિયાના ખર્ચે બનતા પલ્લવ બ્રિજની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જ બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી, જેને છેલ્લા 20 દિવસથી બંધ કરી દેવાઈ છે. બ્રિજની કામગીરી કયા કારણોસર બંધ કરવામાં આવી છે? તેનો કોઈ ખુલાસો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ કે ભાજપના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ પાસેથી હવે આ પલ્લવ બ્રિજનો કોન્ટ્રાક્ટ પરત લઈ લેવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. પલ્લવબ્રિજની 30 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બ્રિજ બનતો હોવાથી બંને તરફ BRTS રૂટ બંધ કરવાની ફરજ પડી છે અને છેલ્લા દોઢ વર્ષથી આ બ્રિજની કામગીરી ચાલી રહી હતી અને હવે ફરી એકવાર બ્રિજની કામગીરી બંધ કરી દેવામાં આવતા ફરી ક્યારે શરૂ થશે? તેની હજી સુધી કોઈ માહિતી નથી.

પલ્લવ- પ્રગતિનગર બ્રિજની કામગીરી મામલે કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવી હોવાનું સામે આવતા કોન્ટ્રાક્ટર કંપનીને બે નોટિસ આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા આ રીતે બ્રિજની કામગીરી બંધ કરી દેવામાં આવતા તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે તો બીજી તરફ હાલમાં જો બ્રિજની કામગીરી બંધ છે તો તેના પાઈલ્સ વગેરે ચેક કરવા જોઈએ અને આ બ્રિજમાં કેવી રીતે કામગીરી થઈ છે? તેની તપાસ કરવી જરૂરી છે.

પલ્લવ- પ્રગતિનગર બ્રિજની કામગીરી બંધ કરાતા વાહનચાલકો અને સ્થાનિકો અકળાયા છે, એક તરફ બ્રિજના કામને કારણે સમગ્ર વિસ્તારમાં ધૂળ અને ડમરીઓ ઉડી રહી છે અને ખાસ કરીને ઓફિસ અવર્સમાં વાહનચાલકોને લાંબા લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ જવાનો વારો આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...