Friday, May 8, 2026

નારણપુરામાં 104 કરોડના ખર્ચે બનતા પલ્લવ બ્રિજની કામગીરી બંધ કરાતા વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદનાં નારણપુરામાં પ્રગતિનગર ચાર રસ્તા પર 104 કરોડ રુપિયાના ખર્ચે બનતા પલ્લવ બ્રિજની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જ બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી, જેને છેલ્લા 20 દિવસથી બંધ કરી દેવાઈ છે. બ્રિજની કામગીરી કયા કારણોસર બંધ કરવામાં આવી છે? તેનો કોઈ ખુલાસો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ કે ભાજપના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ પાસેથી હવે આ પલ્લવ બ્રિજનો કોન્ટ્રાક્ટ પરત લઈ લેવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. પલ્લવબ્રિજની 30 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બ્રિજ બનતો હોવાથી બંને તરફ BRTS રૂટ બંધ કરવાની ફરજ પડી છે અને છેલ્લા દોઢ વર્ષથી આ બ્રિજની કામગીરી ચાલી રહી હતી અને હવે ફરી એકવાર બ્રિજની કામગીરી બંધ કરી દેવામાં આવતા ફરી ક્યારે શરૂ થશે? તેની હજી સુધી કોઈ માહિતી નથી.

પલ્લવ- પ્રગતિનગર બ્રિજની કામગીરી મામલે કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવી હોવાનું સામે આવતા કોન્ટ્રાક્ટર કંપનીને બે નોટિસ આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા આ રીતે બ્રિજની કામગીરી બંધ કરી દેવામાં આવતા તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે તો બીજી તરફ હાલમાં જો બ્રિજની કામગીરી બંધ છે તો તેના પાઈલ્સ વગેરે ચેક કરવા જોઈએ અને આ બ્રિજમાં કેવી રીતે કામગીરી થઈ છે? તેની તપાસ કરવી જરૂરી છે.

પલ્લવ- પ્રગતિનગર બ્રિજની કામગીરી બંધ કરાતા વાહનચાલકો અને સ્થાનિકો અકળાયા છે, એક તરફ બ્રિજના કામને કારણે સમગ્ર વિસ્તારમાં ધૂળ અને ડમરીઓ ઉડી રહી છે અને ખાસ કરીને ઓફિસ અવર્સમાં વાહનચાલકોને લાંબા લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ જવાનો વારો આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...