Tuesday, February 10, 2026

નારણપુરાની આ સોસાયટીમાં 17 સભ્યો રિડેવલપમેન્ટમાં તૈયાર ન થતા હાઉસીંગ બોર્ડ દ્વારા સિલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં હાઈ ઈન્કમ ગ્રૂપ (HIG) રામેશ્વર એપાર્ટમેન્ટમાં રિવડેવલપમેન્ટને લઈને હાઉસીંગ બોર્ડ દ્વારા સિલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. બોર્ડ દ્વારા સોસાયટીના 95 ટકા મકાન રિડેવલમેન્ટ માટે મંજૂર થયા છે. જેમાં 312 માંથી 17 મકાનમાલિકોએ રિડેવલપમેન્ટ માટે સહમતી ન દર્શાવતા હાઉસીંગ બોર્ડએ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના શાસ્ત્રીનગર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તક રામેશ્વર એપાર્ટમેન્ટમાં 312 મકાન છે, જેમાંથી 295 સભ્યોએ કાયદાકીય પ્રક્રિયામાં ભાગ લઈને રિડેવલપમેન્ટમાં જોડાયા છે. પરંતુ 17 સભ્યો એવા છે જેમને હજી સુધી સમંતિ કરાર કર્યા નથી અને હાલ તેઓ કરવા તૈયાર પણ નથી. જેથી ગુજરાત હાઉસિંગ બોર્ડનો સ્ટાફ અને પોલીસનો કાફલો રામેશ્વર એપોર્ટમેન્ટ ખાતે પહોંચ્યો અને 17 મકાનોને સીલ કરવાની કાર્યવાહી કરી છે. સોસાયટીના 95 ટકા લોકો રિડેવલપમેન્ટ માટે તૈયાર છે, પરંતુ 5 ટકા લોકો તૈયાર નથી અને તેઓ વિરોધ પણ કરી રહ્યા છે.

આ અગાઉ હાઉસીંગ બોર્ડ દ્વારા રિડેવલ્પમેન્ટમાં અસંમત છે તેમને ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓથોરિટી દ્વારા નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી અને મકાનો દોઢ મહિના પહેલા જ ખાલી કરવાનો હિયરિંગ બાદ ઓર્ડર કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેઓ ખાલી ન કરતા કાર્યવાહી કરાઈ રહી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડનો સ્ટાફ અને પોલીસનો કાફલો રામેશ્વર એપોર્ટમેન્ટ ખાતે પહોંચ્યો અને 17 મકાનોને સીલ કરવાની કાર્યવાહી કરીછે.

એક સ્થાનિકના જણાવ્યા મુજબ મોટાભાગના લોકો રિડેવલપમેન્ટ માટે તૈયાર છે અને સોસાયટીને તેની જરૂર પણ છે. સોસાયટીમાં બહુમત લોકોને રિડેવલમેન્ટમાં જવું છે. સોસાયટીમાં 150 જેટલા સભ્યોએ મકાનો પણ ખાલી કરી દીધા છે અને તેમના ભાડા પણ ચાલુ થઈ ગયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...