Thursday, November 13, 2025

નારણપુરાની આ સોસાયટીમાં 17 સભ્યો રિડેવલપમેન્ટમાં તૈયાર ન થતા હાઉસીંગ બોર્ડ દ્વારા સિલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં હાઈ ઈન્કમ ગ્રૂપ (HIG) રામેશ્વર એપાર્ટમેન્ટમાં રિવડેવલપમેન્ટને લઈને હાઉસીંગ બોર્ડ દ્વારા સિલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. બોર્ડ દ્વારા સોસાયટીના 95 ટકા મકાન રિડેવલમેન્ટ માટે મંજૂર થયા છે. જેમાં 312 માંથી 17 મકાનમાલિકોએ રિડેવલપમેન્ટ માટે સહમતી ન દર્શાવતા હાઉસીંગ બોર્ડએ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના શાસ્ત્રીનગર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તક રામેશ્વર એપાર્ટમેન્ટમાં 312 મકાન છે, જેમાંથી 295 સભ્યોએ કાયદાકીય પ્રક્રિયામાં ભાગ લઈને રિડેવલપમેન્ટમાં જોડાયા છે. પરંતુ 17 સભ્યો એવા છે જેમને હજી સુધી સમંતિ કરાર કર્યા નથી અને હાલ તેઓ કરવા તૈયાર પણ નથી. જેથી ગુજરાત હાઉસિંગ બોર્ડનો સ્ટાફ અને પોલીસનો કાફલો રામેશ્વર એપોર્ટમેન્ટ ખાતે પહોંચ્યો અને 17 મકાનોને સીલ કરવાની કાર્યવાહી કરી છે. સોસાયટીના 95 ટકા લોકો રિડેવલપમેન્ટ માટે તૈયાર છે, પરંતુ 5 ટકા લોકો તૈયાર નથી અને તેઓ વિરોધ પણ કરી રહ્યા છે.

આ અગાઉ હાઉસીંગ બોર્ડ દ્વારા રિડેવલ્પમેન્ટમાં અસંમત છે તેમને ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓથોરિટી દ્વારા નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી અને મકાનો દોઢ મહિના પહેલા જ ખાલી કરવાનો હિયરિંગ બાદ ઓર્ડર કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેઓ ખાલી ન કરતા કાર્યવાહી કરાઈ રહી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડનો સ્ટાફ અને પોલીસનો કાફલો રામેશ્વર એપોર્ટમેન્ટ ખાતે પહોંચ્યો અને 17 મકાનોને સીલ કરવાની કાર્યવાહી કરીછે.

એક સ્થાનિકના જણાવ્યા મુજબ મોટાભાગના લોકો રિડેવલપમેન્ટ માટે તૈયાર છે અને સોસાયટીને તેની જરૂર પણ છે. સોસાયટીમાં બહુમત લોકોને રિડેવલમેન્ટમાં જવું છે. સોસાયટીમાં 150 જેટલા સભ્યોએ મકાનો પણ ખાલી કરી દીધા છે અને તેમના ભાડા પણ ચાલુ થઈ ગયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...