Wednesday, March 18, 2026

અમદાવાદ પોલીસની શી ટીમ સાયબર ક્રાઈમ અંગે જાગૃતિને લઈને વડીલોની રૂબરૂ મુલાકાત લેશે

spot_img
Share

અમદાવાદ : એક તરફ વધુમાં વધુ ડિજિટલ ટ્રાન્જેક્શન થાય તેના માટે ખૂબ વડાપ્રધાન પ્રયાસ કરી રહ્યા છે ત્યારે જ સાયબર ગઠિયાઓ જુદા જુદા પ્રકારે લોકો સાથે સાઇબર ઠગાઈ કરી રહ્યા છે તેમાય ખાસ કરીને વડીલોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે વડીલો સાયબર ક્રાઇમ તથા સાઇબર ફ્રોડના ભોગ બને નહીં તેના માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જેમાં પોલીસની ટીમ પોતાના વિસ્તારમાં દરરોજ 10 સિનિયર સિટીઝનોની મુલાકાત લઇ તેમને આ બાબતે જાગૃત કરશે.

વડીલોના મકાનો પચાવી પાડવા આવ્યા હોય.તેમની સાથે ચીટિંગ અથવા તો વિશ્વાસઘાત થયો હોય તેમને પરિવારના સ્વજનો કે અડોશ પડોશના લોકો દ્વારા પરેશાન કરવામાં આવતા હોય ત્યારે જો વડીલો પોતાની ફરિયાદ લઈને શહેરના કોઈપણ પોલીસ સ્ટેશનમાં જાય તો મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં તેઓને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ કે સહાય મળતી નથી.

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત વડીલોની રૂબરૂ મુલાકાત લઇ તેમના પ્રશ્નો સાંભળી તેમને યોગ્ય મદદ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવી હોવાની વાતો શરૂ કરી દીધી છે. અમદાવાદ પોલીસના અભિયાન અંગે માહિતી આપતા તો સિનિયર ઓફિસરોએ જણાવ્યું હતું કે, હવેથી પોલીસ મથકોમાં કાર્યરત શી ટીમ દરરોજ પોતાના વિસ્તારના ઓછામાં ઓછા 10 સિનિયર સિટીઝનની રૂબરૂ મુલાકાત લેશે. તેમને સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિ અંતર્ગત જુદી જુદી બાબતોથી માહિતગાર કરશે. આ ઉપરાંત વડીલોને પડતી અન્ય મુશ્કેલીઓની જાણકારી મેળવી સિનિયર ઓફિસરોને તે બાબતથી માહિતગાર કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...