Monday, November 17, 2025

અમદાવાદ પોલીસની શી ટીમ સાયબર ક્રાઈમ અંગે જાગૃતિને લઈને વડીલોની રૂબરૂ મુલાકાત લેશે

spot_img
Share

અમદાવાદ : એક તરફ વધુમાં વધુ ડિજિટલ ટ્રાન્જેક્શન થાય તેના માટે ખૂબ વડાપ્રધાન પ્રયાસ કરી રહ્યા છે ત્યારે જ સાયબર ગઠિયાઓ જુદા જુદા પ્રકારે લોકો સાથે સાઇબર ઠગાઈ કરી રહ્યા છે તેમાય ખાસ કરીને વડીલોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે વડીલો સાયબર ક્રાઇમ તથા સાઇબર ફ્રોડના ભોગ બને નહીં તેના માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જેમાં પોલીસની ટીમ પોતાના વિસ્તારમાં દરરોજ 10 સિનિયર સિટીઝનોની મુલાકાત લઇ તેમને આ બાબતે જાગૃત કરશે.

વડીલોના મકાનો પચાવી પાડવા આવ્યા હોય.તેમની સાથે ચીટિંગ અથવા તો વિશ્વાસઘાત થયો હોય તેમને પરિવારના સ્વજનો કે અડોશ પડોશના લોકો દ્વારા પરેશાન કરવામાં આવતા હોય ત્યારે જો વડીલો પોતાની ફરિયાદ લઈને શહેરના કોઈપણ પોલીસ સ્ટેશનમાં જાય તો મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં તેઓને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ કે સહાય મળતી નથી.

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત વડીલોની રૂબરૂ મુલાકાત લઇ તેમના પ્રશ્નો સાંભળી તેમને યોગ્ય મદદ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવી હોવાની વાતો શરૂ કરી દીધી છે. અમદાવાદ પોલીસના અભિયાન અંગે માહિતી આપતા તો સિનિયર ઓફિસરોએ જણાવ્યું હતું કે, હવેથી પોલીસ મથકોમાં કાર્યરત શી ટીમ દરરોજ પોતાના વિસ્તારના ઓછામાં ઓછા 10 સિનિયર સિટીઝનની રૂબરૂ મુલાકાત લેશે. તેમને સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિ અંતર્ગત જુદી જુદી બાબતોથી માહિતગાર કરશે. આ ઉપરાંત વડીલોને પડતી અન્ય મુશ્કેલીઓની જાણકારી મેળવી સિનિયર ઓફિસરોને તે બાબતથી માહિતગાર કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...