Tuesday, February 10, 2026

હાઉસીંગમાં રિડેવલમેન્ટમાં ગતિ લાવવા દસ્તાવેજ માટે ખાસ પેકેજની માગણીઓ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સોલા રોડ, નારણપુરા, શાસ્ત્રીનગર અને નવા વાડજની જુદી જુદી હાઉસિંગ વસાહતોના મકાનોના રિડેવલમેન્ટ અને દસ્તાવેજના પડતર પ્રશ્નોને લઈને લડત ચલાવતા હાઉસીંગ મંડળોએ રિડેવલમેન્ટની પ્રક્રિયામાં ગતિ લાવવા દસ્તાવેજ સહિતનાા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગણી કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાઉસિંગ વસાહતોના મકાનોના રિડેવલમેન્ટ અને દસ્તાવેજના પડતર પ્રશ્નોને લઈને લડત ચલાવતા ગુજરાત હાઉસીંગ વસાહત મંડળ અને હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલમેન્ટ ફેડરેશન (હાર્ફ) દ્વારા રિડેવલમેન્ટની પ્રક્રિયામાં ગતિ લાવવા દસ્તાવેજ સહિતનાા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગણી કરતા જણાવ્યું છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોનીમાં વસતા લઘુ અને મઘ્યમ વર્ગના રહીશો એ ભૂતકાળમાં જરૂરિયાતો આધીન મકાન ખરીદ્યા તથા બાંધકામ વધારેલ છે અને તેમાંથી કેટલાકના દસ્તાવેજ કરવાના હજુ બાકી પણ છે. તેઓ હાલમાં દસ્તાવેજ કરાવવા જાય તો વધારાના બાંધકામ પર પ્રવર્તમાન જંત્રી મુજબ વહીવટી વપરાશ ચાર્જ અને પેનલ્ટી લેવામાં આવે છે. જે પ્રવર્તમાન જંત્રીના ભાવમાં પણ ખુબ ઊંચી કિંમત આવે છે, ક્યારેક એવું પણ બને છે કે મૂળ કિંમત કરતા આ બધા ચાર્જ અનેક ઘણા વધી જાય છે જેથી લોકો દસ્તાવેજ કરાવી શકતા નથી.તો તે વધારાના બાંધકામના વપરાશ વહીવટી ચાર્જ નો પ્રજાને પોસાય તેવો લઘુતમ ચોક્કસ દર નક્કી કરી દસ્તાવેજ કરી આપવાની જોગવાઈ કરવી, ઉપરાંત પાવર ઓફ અટોર્ની સંબંધિત ચાર્જ દૂર કરવો જોઈએ.

ભુતકાળમાં વર્ષ 2007માં તત્કાલીન મુખ્યમંત્રી મોદી સરકાર દ્વારા અપાયેલ પ્રજાલક્ષી દસ્તાવેજ પેકેજ જેવા રાહત પેકેજ આપવામાં આવે તો હાલના સંજોગોને ધ્યાને લેતા દસ્તાવેજ ઝડપી થશે અને રિડેવલોપમેન્ટ પ્રક્રિયાને વેગ મળશે. જે તે સમયે આપેલ રાહત પેકેજના મુદ્દાઓ કે આજે પણ હાઉસિંગની પ્રજા આવા રાહત પેકેજની અપેક્ષા કરી રહી છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...