Wednesday, February 11, 2026

AMCની કડક કાર્યવાહી : હવે પ્રતિબંધિત ચાના કપ મળી આવશે તો દુકાન સીલ થઈ જશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં જાહેર રોડ પર ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે દક્ષિણ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા લાંભા વોર્ડમાં ચેકિંગ કરતાં ઇસનપુરની જય શ્રી લિંબચ ટી સ્ટોલમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ચાના કપ આશરે 1000 નંગ જેટલા મળી આવ્યા હતાં, જેથી દુકાનને સીલ કરી દેવામાં આવી છે. ઉપરાંત અન્ય વોર્ડમાં પણ ગંદકી કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા લોકો વિરુદ્ધ સીલ કરવાની કાર્યવાહી પણ ચાલુ છે.

પૂર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અલગ અલગ વોર્ડમાં જાહેરમાં ગંદકી કરી ન્યુસન્સ કરતા અને પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા એકમો સામે સખત કાર્યવાહી કરવામાં આવી હતી. વિરાટનગર વોર્ડમાં જાહેર રોડ પર કચરો નાખવા બદલ 6 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી. ઓઢવ વોર્ડમાં નેશનલ હેન્ડલુમની પાછળ આવેલા AMCના ખૂલ્લા પ્લોટમાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ નાખવા બદલ ટ્રેક્ટરને જપ્ત લેવામાં આવ્યું છે. જાહેર માર્ગો તથા ખૂલ્લા પ્લોટોમાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ તથા કરૂંકશન વેસ્ટ નાખવાની આવતી ફરિયાદોને ધ્યાને લઇ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કુલ 1,762 એકમો ચેક કરી કુલ રૂપિયા 2.11 લાખ વહીવટી ચાર્જ વસુલ કર્યો છે. ગંદકી કરી ન્યુસન્સ કરતા કુલ 920 એકમો ચેક કરી રૂપિયા 1.48 લાખ વહીવટી ચાર્જ વસુલ કર્યો છે. તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા કુલ 842 એકમો ચેક કરી રૂપિયા 84200 વહીવટી ચાર્જ વસુલ કરી કુલ 24.6 કિલોગ્રામ પ્લાસ્ટીક જપ્ત કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...