Thursday, September 18, 2025

AMCની કડક કાર્યવાહી : હવે પ્રતિબંધિત ચાના કપ મળી આવશે તો દુકાન સીલ થઈ જશે

Share

Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં જાહેર રોડ પર ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે દક્ષિણ ઝોનની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા લાંભા વોર્ડમાં ચેકિંગ કરતાં ઇસનપુરની જય શ્રી લિંબચ ટી સ્ટોલમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ચાના કપ આશરે 1000 નંગ જેટલા મળી આવ્યા હતાં, જેથી દુકાનને સીલ કરી દેવામાં આવી છે. ઉપરાંત અન્ય વોર્ડમાં પણ ગંદકી કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા લોકો વિરુદ્ધ સીલ કરવાની કાર્યવાહી પણ ચાલુ છે.

પૂર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અલગ અલગ વોર્ડમાં જાહેરમાં ગંદકી કરી ન્યુસન્સ કરતા અને પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા એકમો સામે સખત કાર્યવાહી કરવામાં આવી હતી. વિરાટનગર વોર્ડમાં જાહેર રોડ પર કચરો નાખવા બદલ 6 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી. ઓઢવ વોર્ડમાં નેશનલ હેન્ડલુમની પાછળ આવેલા AMCના ખૂલ્લા પ્લોટમાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ નાખવા બદલ ટ્રેક્ટરને જપ્ત લેવામાં આવ્યું છે. જાહેર માર્ગો તથા ખૂલ્લા પ્લોટોમાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ તથા કરૂંકશન વેસ્ટ નાખવાની આવતી ફરિયાદોને ધ્યાને લઇ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કુલ 1,762 એકમો ચેક કરી કુલ રૂપિયા 2.11 લાખ વહીવટી ચાર્જ વસુલ કર્યો છે. ગંદકી કરી ન્યુસન્સ કરતા કુલ 920 એકમો ચેક કરી રૂપિયા 1.48 લાખ વહીવટી ચાર્જ વસુલ કર્યો છે. તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા કુલ 842 એકમો ચેક કરી રૂપિયા 84200 વહીવટી ચાર્જ વસુલ કરી કુલ 24.6 કિલોગ્રામ પ્લાસ્ટીક જપ્ત કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...