Thursday, March 5, 2026

ગુજરાતમાં 70 ટકા મેડિકલ સ્ટોર્સ ગેરકાયદે ચાલતા હોવાથી પરવાના રદ કરવા ફાર્માસિસ્ટ એસોની માગ

spot_img
Share

ગાંધીનગર : રાજ્યભરના 70 ટકા મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ચાલતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. આથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા મેડિકલ સ્ટોર્સને તાકીદે બંધ કરીને ભાડે લાયસન્સ આપનાર ફાર્માસિસ્ટોના લાયસન્સને રદ કરવાની માગણી સાથે ફાર્માસિસ્ટ એસોસિએશને ખોરાક અને ઔષધ નિયમન તંત્રને રજૂઆત કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ-1940 મુજબ ફાર્માસિસ્ટના ભાડાના લાઇસન્સ ઉપર મેડિકલ સ્ટોર્સ ચલાવી શકાય નહી. તેમ છતાં મેડિકલ સ્ટોર્સના સંચાલકો અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની સાંઠગાંઠને પગલે રાજ્યભરમાં 70 ટકા કરતા વધારે મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ચાલી રહ્યા છે. ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ચાલતા મેડિકલ સ્ટોર્સથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.

આ ઉપરાંત લેભાગુ લોકો માત્ર રૂપિયા કમાવવાનો ઉદ્દેશ હોવાથી નશામાં ઉપયોગમાં લેવાતી કોડીન કફ શિરપ, અલ્પ્રાઝોલમ, નાઇટ્રોઝોલમ તેમજ ગર્ભપાતની દવાઓનું બેફામ વેચાણ કરીને યુવાધનને બરબાદ કરી રહ્યાનો પણ આક્ષેપ કરાયો છે. આથી આવી સ્થિતિને નાથવા માટે એનસીપીસીઆર દ્વારા દરેક મેડિકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કર્યા છે. જેની ફરજિયાત અમલવારી કરાવવાની જવાબદારી કલેક્ટરે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સોંપાઈ હોવા છતાં તેની અમલવારી કરાતી નથી.

ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ચાલતા મેડિકલ સ્ટોર્સને તાકીદે બંધ કરાવીને ભાડે આપેલા લાયસન્સને કાયમી રદ કરવાની માગ સાથે ગુ. ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગના કમિશનરને લેખિત રજૂઆત કરાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...