Monday, November 17, 2025

નારણપુરાના પલ્લવ-પ્રગતિનગર ઓવરબ્રિજનો 104 કરોડનો કોન્ટ્રાક્ટ પરત લેવાશે, છેલ્લા એક મહિનાથી કામગીરી બંધ છે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ભ્રષ્ટાચારના પિલ્લરોથી ઉભો કરાયેલ હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાના નિર્ણય બાદ વધુ એક નિર્ણય આજે મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેકલિસ્ટ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.જેથી અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા પલ્લવ પ્રગતિનગર ચાર રસ્તા પર રૂ. 104 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજની કામગીરીનો કોન્ટ્રાક્ટ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી પરત લઈ લેવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન દ્વારા વિવાદાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય બાદ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેકલિસ્ટ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે,ત્યારે હવે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા પલ્લવ પ્રગતિનગર ચાર રસ્તા પર રૂ. 104 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજની કામગીરીનો કોન્ટ્રાક્ટ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી પરત લઈ લેવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે આ બ્રિજ બનાવવા માટે ટેન્ડર કરી અને અન્ય કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરાવવામાં આવશે. હાલમાં પલ્લવ ઓવરબ્રિજની કામગીરી છેલ્લા એક મહિનાથી બંધ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, પલ્લવ- પ્રગતિનગર ફ્લાવર બ્રિજ માટે હવે અન્ય કોન્ટ્રાકટર મારફતે કરાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. પ્રિન્સિપલ કોર્પોરેશનમાં જ્યારે કોઈપણ કોન્ટ્રાક્ટર સામે ક્રિમિનલ કેસ નોંધાય છે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે હવે અજય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ ની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેથી આ બ્રિજની કામગીરી હાલ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...