Saturday, March 7, 2026

અમદાવાદ જીલ્લા કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 1830 અરજી મળી, 76માં ફરિયાદ નોંધાઈ

spot_img
Share

અમદાવાદ : ભૂમાફિયાઓ પર અંકુશ મુકવા અને ખેડૂતો પાસેથી કોઈ જમીન ન છીનવી શકે તે માટે રાજ્ય સરકાર વિધાનસભામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાવી હતી. આ એક્ટ અંતર્ગત કલેક્ટરને ફરિયાદ મળતા તેની પર કેસની સુનાવણી અને જરૂર પડે એફઆઇઆર કરવામાં આવે છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ કલેક્ટર કચેરીમાં છેલ્લી માહિતી પ્રમાણે 1830 લેન્ડ ગ્રેબિંગની અરજી આવેલી છે.

લેન્ડ ગ્રેબિંગની આવેલી 1830 અરજીઓમાંથી 76 અરજીમાં એફઆરઆઇ નોંધવામાં આવી છે. ઉપરાંત કાયદાની આડ લઇને કોઈ લેભાગૂ તત્વો કોઇની જમીનમાં ખોટી ફરિયાદ કે અરજી ના કરે તે માટે થઈ ચકાસણી માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક કમિટીની રચના પણ કરવામાં આવી છે. આ કમિટીની બેઠક મહિનામાં એક વખત યોજવામાં આવે છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા અત્યાર સુધીમાં અંદાજીત 40 થી 50 લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજવામાં આવી છે. લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં લાવ્યા બાદ અમદાવાદમાં સૌથી વધુ 76 થી વધુ લેન્ડ ગ્રેબિંગના ગુના નોંધાઈ ચુક્યા છે. 1570 અરજીનો નીકાલ થઇ ગયો છે. 218 અરજી પર આખરી નિણર્ય લેવાનો બાકી છે. 1570 પૈકી 1498 અરજી દફ્તરે કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...