Thursday, April 23, 2026

અમરનાથ યાત્રા માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, ઘરે બેસી આ રીતે કરો રજિસ્ટ્રેશન

spot_img
Share

અમદાવાદ : સોમવાર 17 એપ્રિલથી અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરુ થઈ રહ્યું છે. આ વર્ષે અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થશે. અમરનાથ યાત્રા માટે 31 ઓગસ્ટ 2023 સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો. જેના માટે તમારે જરુરી કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. કારણ કે, આ યાત્રા માટે 13 થી 70 વર્ષ સુધીના લોકો જ ઓનલાઈન આવેદન કરી શકે છો પરંતુ 6 અઠવાડિયાથી વધુ પ્રેગ્નેટ મહિલાઓને આ યાત્રા માટની પરવાનગી નથી.

જો તમે ભારતીય નાગરિક છો અમરનાથ યાત્રા માટે તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવવા માટે નિયુક્ત બેંક શાખાઓ દ્વારા પ્રતિ યાત્રી દીઠ 120 રૂપિયા ચૂકવવા પડશે. ઓનલાઈન રજિસ્ટ્રેશનની ફી 220 રૂપિયા પ્રતિ પેસેન્જર છે. બીજી તરફ, જો તમે NRIની સિરીઝમાં આવો છો, તો તમારે PMB દ્વારા 1520 રૂપિયા પ્રતિ યાત્રી ફી ચૂકવવી પડશે.

યાત્રા 2023 થી શરુ કર્યા પહેલા તમામ રજીસ્ટર યાત્રિકો માટે જમ્મુ કાશ્મીર સ્થિત કોઈ પણ કેન્દ્રમાંથી આરએફઆઈડી કાર્ડ મેળવવાનું રહેશે. યાત્રા દરમિયાન ગળામાં આરએફઆઈડી ટેગ પહેરીને રાખો.

આવી રીતે કરો ઘરે બેસી રજિસ્ટ્રેશન
દેશભરમાં પંજાબ નેશનલ બેન્ક, એસબીઆઈ, જમ્મુ અને કાશ્મીર બેન્ક અને યસ બેન્ક દ્વારા એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
નિયુક્ત બેંક શાખાઓની યાદી અમરનાથજી યાત્રા શ્રાઈન બોર્ડ (SASB)ની વેબસાઈટ https://jksasb.nic.in પર ઉપલબ્ધ છે.
ઓન લાઈન રજિસ્ટ્રેશન માટે વેબસાઈટ https://jksasb.nic.in પર કરી શકો છો.
ઓનલાઈન રજિસ્ટ્રશન માટે લિંક એસએએસબીની મોબાઈલ એપ શ્રી અમરનાથજી યાત્રા પર ઉપલબ્ધ છે. જે ગુગલ પ્લે પર ઉપલ્બધ છે.
પંજાબ નેશનલ બેંક જમ્મુ દ્વારા ચુકવણી કરવા માટે cojkitd@pnb.co.in પર જાઓ.

આવી રીતે કરાવો ગ્રુપ રજિસ્ટ્રેશન
જો તમે આ ગ્રુપની સાથે રજિસ્ટ્રેશન કરાવવા માંગો છો તો 5 થી 50થી ઓછી સંખ્યા ધરાવતા ગ્રુપે SASB ને પોસ્ટ દ્વારા તમામ સભ્યોના જરૂરી દસ્તાવેજો મોકલીને ગ્રુપ નોંધણી માટે અરજી કરી શકે છે. તમે વેબસાઇટ https://jksash.nic.in પર આપેલા સરનામા પર તમામ માહિતી મોકલી શકો છો.

જો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છો છો તો તમે ગુગલ પ્લે સ્ટોર પરથી શ્રી અમરનાથજી યાત્રા એપ ડાઉનલોડ કરીને ઘરે બેઠા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...