Tuesday, February 10, 2026

અમદાવાદના આ વિસ્તારમાં મકાનની છતનો મોટો હિસ્સો ધરાશયી થતા પિતા અને પુત્રના મોત નીપજ્યા

spot_img
Share

અમદાવાદ: મંગળવાર મોડી રાતે અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાંથી એક ગમખ્વાર ઘટના સામે આવી છે. જેમાં મકાનની છતનો મોટો હિસ્સો એટલે કે છતના પોપડા પડતા પિતા અને પુત્રના મોત નીપજ્યા છે. જયારે માતા અને બીજા પુત્રની હોસ્પિટલ ખસેડ્યા છે. જેમાં છતના પોપડા સાથે પંખો પણ પડ્યો હતો. બનાવને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, મંગળવારે મોડી રાતે શિવશંકરનગરના એક ઘરમાં માતા, પિતા અને બે પુત્રો સૂતા હતા. આ દરમિયાન છતનો મોટો હિસ્સો એટલે કે છતનો પોપડો નીચે પડ્યો તેની સાથે પંખો પણ નીચે પડ્યો હતો. જેના કારણે પિતા અને પુત્રનું મોત નીપજ્યુ છે. જયારે માતા અને બીજા પુત્રની હોસ્પિટલ ખસેડ્યા છે કે જેઓની સારવાર ચાલુ છે.

સમગ્ર મામલે મકાનમાલિક પાસેથી મળતી માહિતી મુજબ આ મકાનનું રિનોવેશન કરાવવાનું હતુ. જેના માટે મકાન માલિકે આ પરિવારને ઘર ખાલી કરવા પણ જણાવ્યુ હતુ. પરંતુ પરિવારે આ લોકો પાસે બે મહિનાનો સમય માંગ્યો હતો. તે માંગેલા સમય દરમિયાન જ આ દુર્ઘટના ઘટી હતી અને પરિવારના બે લોકોને જીવ ગુમાવવાનો વારો આવી ગયો છે.

આ ઘટના બાદ આસપાસનાં લોકો પણ આ અવાજ સાંભળતા ત્યાં આવી પહોંચ્યા હતા. આ ઘટના બાદ અફરાકતફરીનો માહોલ છવાઇ ગયો હતો. સ્થાનિક પોલીસે પણ આ અંગે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે આ ઘરની બહાર તાળું મારી દીધું છે. જેથી કોઇ અંદર જઇ નહીં શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...