Thursday, November 13, 2025

ચારધામ યાત્રાએ જવાનું છે તો બનાવો સાત દિવસનો પ્લાન, શ્રધ્ધાળુઓ માટે એડવાઈઝરી

spot_img
Share

દહેરાદુન : શનિવારથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે શ્રધ્ધાળુઓ માટે એડવાઈઝરી માર્ગદર્શિકા જાહેર કરી હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બધા તીર્થ હિમાલયના ઉંચાઈવાળા વિસ્તારમાં આવેલા છે. આથી શ્રધ્ધાળુઓ ઠંડી, ઓછી હવાનું દબાણ અને ઓછા ઓકિસજનથી અસર પામી શકે છે. આ સ્થિતિમાં સલાહ આપવામાં આવી છે કે શ્રધ્ધાળુઓ પોતાની યાત્રાની યોજના કમ સે કમ સાત દિવસો માટે બનાવે. આથી પહાડના વાતાવરણમાં ખુદને ઢાળવામાં મદદ મળશે.

રોજ 5-10 મીનીટ શ્વાસનો વ્યાયામ કરો, અને 20-30 મિનિટ ટહેલવા નીકળો. જો આપની વય 55 વર્ષ કે તેથી વધુ છે કે હૃદયની બિમારી, અસ્થમા, ડાયાબીટીસ અને હાઈબ્લડપ્રેસર છે તો યાત્રા પહેલા તબિયતની તપાસ જરૂર કરાવો.

આટલી વસ્તુઓ સાથે રાખવી…
ગરમ કપડા, સ્વેટર, મફલર, જેકેટ, હાથમોજા, વરસાદથી બચવા રેઈનકોટ, છત્રી, તબીયતની તપાસ માટે પલ્સ ઓકસીનીટર, થર્મોમીટર, આપના ડોકટરના નંબર સાથે રાખો.

યાત્રા દરમ્યાન ધ્યાન રાખો…
યાત્રા પહેલા હવામાનનો રિપોર્ટ જરૂર ચેક કરો.યાત્રામાં 2 લીટર લિકવીડ અને પૌષ્ટીક આહાર જરૂર લો.પગપાળા ચાલી રહેલા લોકોએ દર એક કલાકમાં અને વાહનથી ચડતા લોકોએ દર બે કલાકે 5-10 મિનીટનો બ્રેક લેવો જોઈએ. શરાબ, કેફિનયુકત ડ્રીંક,ઊંઘની ગોળી, ધુમ્રપાનથી દુર રહેવુ તબિયત સાથે જોડાયેલી કોઈપણ પરેશાની પર 104 હેલ્પ લાઈન નંબર પર સંપર્ક કરવો.

હેલીકોપ્ટર સેવાની બુકીંગ માટે વેબસાઈટ જાહેર…
ચારધામમાં હેલિકોપ્ટર સેવાની બુકીંગ માટે IRCTC તરફથી પોતાની વેબસાઈડ WWW. heliyatra. irctc.co.in જાહેર કરાઈ છે. હેલી સેવા ટિકીટ બુકીંગના નામે પ્રયોગ થઈ રહેલી આઠ બોગસ વેબસાઈટને એસટીએફએ બંધ કરાવી છે. પોલીસે અપીલ કરી છે કે વેબસાઈટની ચકાસણી કર્યા વિના હેલી સેવા ટિકીટ બુક ન કરાવવી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...