Saturday, March 7, 2026

ચારધામ યાત્રાએ જવાનું છે તો બનાવો સાત દિવસનો પ્લાન, શ્રધ્ધાળુઓ માટે એડવાઈઝરી

spot_img
Share

દહેરાદુન : શનિવારથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે શ્રધ્ધાળુઓ માટે એડવાઈઝરી માર્ગદર્શિકા જાહેર કરી હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બધા તીર્થ હિમાલયના ઉંચાઈવાળા વિસ્તારમાં આવેલા છે. આથી શ્રધ્ધાળુઓ ઠંડી, ઓછી હવાનું દબાણ અને ઓછા ઓકિસજનથી અસર પામી શકે છે. આ સ્થિતિમાં સલાહ આપવામાં આવી છે કે શ્રધ્ધાળુઓ પોતાની યાત્રાની યોજના કમ સે કમ સાત દિવસો માટે બનાવે. આથી પહાડના વાતાવરણમાં ખુદને ઢાળવામાં મદદ મળશે.

રોજ 5-10 મીનીટ શ્વાસનો વ્યાયામ કરો, અને 20-30 મિનિટ ટહેલવા નીકળો. જો આપની વય 55 વર્ષ કે તેથી વધુ છે કે હૃદયની બિમારી, અસ્થમા, ડાયાબીટીસ અને હાઈબ્લડપ્રેસર છે તો યાત્રા પહેલા તબિયતની તપાસ જરૂર કરાવો.

આટલી વસ્તુઓ સાથે રાખવી…
ગરમ કપડા, સ્વેટર, મફલર, જેકેટ, હાથમોજા, વરસાદથી બચવા રેઈનકોટ, છત્રી, તબીયતની તપાસ માટે પલ્સ ઓકસીનીટર, થર્મોમીટર, આપના ડોકટરના નંબર સાથે રાખો.

યાત્રા દરમ્યાન ધ્યાન રાખો…
યાત્રા પહેલા હવામાનનો રિપોર્ટ જરૂર ચેક કરો.યાત્રામાં 2 લીટર લિકવીડ અને પૌષ્ટીક આહાર જરૂર લો.પગપાળા ચાલી રહેલા લોકોએ દર એક કલાકમાં અને વાહનથી ચડતા લોકોએ દર બે કલાકે 5-10 મિનીટનો બ્રેક લેવો જોઈએ. શરાબ, કેફિનયુકત ડ્રીંક,ઊંઘની ગોળી, ધુમ્રપાનથી દુર રહેવુ તબિયત સાથે જોડાયેલી કોઈપણ પરેશાની પર 104 હેલ્પ લાઈન નંબર પર સંપર્ક કરવો.

હેલીકોપ્ટર સેવાની બુકીંગ માટે વેબસાઈટ જાહેર…
ચારધામમાં હેલિકોપ્ટર સેવાની બુકીંગ માટે IRCTC તરફથી પોતાની વેબસાઈડ WWW. heliyatra. irctc.co.in જાહેર કરાઈ છે. હેલી સેવા ટિકીટ બુકીંગના નામે પ્રયોગ થઈ રહેલી આઠ બોગસ વેબસાઈટને એસટીએફએ બંધ કરાવી છે. પોલીસે અપીલ કરી છે કે વેબસાઈટની ચકાસણી કર્યા વિના હેલી સેવા ટિકીટ બુક ન કરાવવી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...