Monday, March 2, 2026

અમદાવાદની આ બેંક પર ચાલ્યું RBIનું ચાબુક, લાઈસન્સ રદ, જાણો ગ્રાહકો પર શું પડશે અસર

spot_img
Share

નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંકે બુધવારે અમદાવાદ સ્થિત કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું કર્યું છે. RBIએ જણાવ્યું હતું કે, કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક પાસે ન તો પૂરતી મૂડી હતી અને ન તો તેની પાસે કમાણીની કોઈ સંભાવના હતી. આ ઉપરાંત આ બેંક બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવામાં પણ નિષ્ફળ રહી છે, જેના કારણે આ મોટું પગલું ભરવું પડ્યું. ભારતીય રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને પણ બેંક બંધ કરવાનો આદેશ જાહેર કરવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી છે.

RBIએ પણ સ્પષ્ટ કર્યું કે કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકની નાણાકીય સ્થિતિ એટલી બગડી ગઈ છે કે તે તેના થાપણદારોને સંપૂર્ણ ચુકવણી કરવામાં સક્ષમ નથી. જો આવી સ્થિતિમાં બેંક ચાલુ રહેશે તો તે થાપણદારોના હિતની વિરુદ્ધ હશે.RBIએ કહ્યું કે, જો બેંકને તેનો બેંકિંગ વ્યવસાય આગળ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે તો તેની ગ્રાહકો પર પ્રતિકૂળ અસર પડશે. લાઇસન્સ રદ થયા પછી સહકારી બેંક બુધવાર (16 એપ્રિલ, 2025)ના રોજ વ્યવસાયના અંતે બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવાનું બંધ કરશે. બેંકિંગ વ્યવસાયમાં અન્ય બાબતોની સાથે રોકડ જમા કરાવવા અને થાપણોની ચુકવણીનો સમાવેશ થાય છે.

આ બેંકનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય 16 એપ્રિલ 2025 ના રોજ બેંકનો વ્યવસાય બંધ થયા પછી અમલમાં આવ્યો. આનો અર્થ એ છે કે બેંકો અત્યારે નવી થાપણો સ્વીકારી શકશે નહીં અથવા કોઈ નવી લોનનું વિતરણ કરી શકશે નહીં.આરબીઆઈએ રજીસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટી, ગુજરાતને બેંકનું લાઇસન્સ રદ કરવા અને તેની કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે લિક્વિડેટરની નિમણૂક કરવા પણ કહેવામાં આવ્યું છે.હવે નિયમ મુજબ, દરેક થાપણદાર ફક્ત ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ લોન ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી તેની થાપણના રૂ. 5 લાખ સુધીના ડિપોઝિટ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર રહેશે.

લાઇસન્સ રદ થયા પછી, સહકારી બેંક બુધવાર (16 એપ્રિલ, 2025) ના રોજ કામકાજના અંતથી બેંકિંગ વ્યવસાય બંધ કરશે. બેંકિંગ વ્યવસાયમાં, અન્ય બાબતોની સાથે, થાપણો સ્વીકારવી અને થાપણો પરત કરવી શામેલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...