Saturday, November 22, 2025

આજથી ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન, હર્ષ સંઘવીએ અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે સફાઈ કરી

spot_img
Share

અમદાવાદ : આજે અક્ષય તૃતીયાનો શુભ પર્વ છે. ધાર્મિક દૃષ્ટિએ અક્ષય તૃતીયાની તિથિ ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને અક્ષય તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે. તેને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે ભાજપ દ્વારા અખાત્રીજના દિવસે રાજયના 24 મોટા મંદિરોમાં મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ધર્મસ્થાનોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.

આજે શરૂ કરાયેલ ભાજપનું મહાસફાઈ અભિયાનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલથી લઈને પ્રદેશ ભાજપ પ્રમુખે સફાઈ અભિયાન હાથ ધર્યું છે. સીઆર પાટીલ, મુખ્યમંત્રી અને ગુજરાત સરકારના મંત્રીઓ ગુજરાતના વિવિધ ધર્મસ્થાનો પર અભિયાનમાં જોડાયા છે. વિવિધ ધર્મસ્થાનો પર પ્રદેશ ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે. 15 થી વધુ ધર્મસ્થાનો પર વિવિધ મંત્રી હાજર રહી સફાઈ કરાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ બાલાજી હનુમાનજી મંદિરથી સફાઈ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. સીએમ સાથે સ્થાનિક સાંસદ, ધારાસભ્ય, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.તેઓએ બાલાજી મંદિરથી સવારે 9 વાગ્યે અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તો ધર્મસ્થાનોના સફાઈ અભિયાનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ જોડાયા હતા. સુરતમાં પ્રસિદ્ધ અંબાજી મંદિર પરિસરમાં પાટીલે સફાઈ કરી હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે અન્ય નેતાઓ પણ જોડાયા હતા.

ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદની નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે, અમદાવાદના મેયર અને કોર્પોરેટર, અમદાવાદ શહેર ભાજપના હોદ્દેદારો સાથે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...