Wednesday, February 11, 2026

નારણપુરામાં ધરતી વિકાસ મંડળ દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન મેગા મેડિકલ કેમ્પનું આયોજન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નારણપુરામાં આવેલ ધરતી વિકાસ મંડળ દ્વારા નિઃશુલ્ક 30 મી એપ્રિલના રોજ સવારે 8-30 થી 12-30 સુધી નિ:શુલ્ક મેગા મેડિકલ (Mega Medical) કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મેડિસિન, સર્જરી, સ્ત્રી રોગ, બાળકોના રોગ, નાક-કાન-ગળાના રોગો, આંખની તપાસ, હાડકાની સારવાર, શ્વાસના રોગો, ચામડીના રોગો અને માનસિક રોગોની તપાસ અને સારવાર માટે અમદાવાદના ખ્યાતનામ હોસ્પિટલના નિષ્ણાતો અને ડોક્ટર્સ (Doctor) દ્વારા દર્દીઓને નિઃશુલ્ક કન્સલ્ટેશન કરી આપવામાં આવશે.જેમાં ઉદઘાટક તરીકે સાંસદ સભ્ય શારદાબેન અનિલભાઈ પટેલ અને મુખ્ય મહેમાન તરીકે જીતેન્દ્રકુમાર રમણલાલ પટેલ (ભગત) ઉપસ્થિત રહેશે.

-આ મેગા મેડિકલ કેમ્પમાં કેટલીક વિશિષ્ટ સુવિધા અને મેડીલીંક હોસ્પિટલ, સેટેલાઈટ તરફથી ડાયાબિટીસના દર્દીઓને સુગર ટેસ્ટ, BMI, BMD ટેસ્ટ (હાડકાની તપાસ) જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્ય કરી આપવામાં આવશે.
-CIMS હોસ્પિટલ- સાયન્સ સીટી તરફથી દર્દીઓને હૃદયની તપાસ માટે કાડિયોગ્રમ (ECG) જરૂરિયાતમંદ દર્દીઓને તથા ડાયાબિટીસના દર્દીઓને સુગર ટેસ્ટ વિનામૂલ્ય કરી આપવામાં આવશે.
-જરૂરિયાતમંદ દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ લોહીની તપાસ તથા પેશાબની તપાસના રિપોર્ટ કરાવનાર હોય તો ડો. સ્વીટીબેન જે પટેલ (પેથોલોજીસ્ટ) તરફથી રાહતદરે કરી આપવામાં આવશે.


-લોહીની તપાસ તથા પેશાબની તપાસના કરાવેલ રિપોર્ટ ધરતી વિકાસ મંડળની પૂછપરછ ઓફિસમાંથી રિપોર્ટ કરાવ્યાના બે દિવસ પછી મેળવી લેવાના રહેશે.
-જરૂરિયાતમંદ દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ દવાઓ ધરતી વિકાસ મંડળ તથા આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી રાહતદરે મળશે.
-ડો.અમિત ગુપ્તા (રેડિયોલોજીસ) અને ઋષિલ આર પટેલ (મેનેજર અને રેડિયો ગ્રાફર) તરફથી X-Ray, MRI sonography રાહતદરે કરી આપવામાં આવશે.(સ્થળ: ઇમેજિન સેન્ટર, ઉસ્માનપુરા)

ઉપરોક્ત મેગા મેડિકલ કેમ્પમાં દર્દીઓને નિદાન કરવા માટે કેસની નોંધણી તારીખ-28-4-2023 સુધીમાં કરાવી ટોકન નંબર લેવા વિનંતી સમય સવારે 12:00 થી સાંજે 5-00…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...