Wednesday, March 4, 2026

અમદાવાદમાં સ્મશાનમાં લાકડા કૌભાંડ બાબતે AMC એક્શનમાં, આ બે કંપનીઓ બ્લેક લિસ્ટ કરાઇ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સ્મશાનમાં લાકડા કૌભાંડ બાબતે AMC એક્શનમાં આવ્યું છે. જેમાં કૌભાંડનો અહેવાલ મીડિયામાં પ્રસારીત થતા બે કંપનીઓને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.જેમાં સ્મશાનમાં લાકડા કૌભાંડ બાબતે બે એજન્સીઓને બ્લેક લિસ્ટ કરાઈ છે. AMCએ સમભાવ સેવા સંઘ અને જય શ્રીકૃષ્ણ સેવા સંઘ એજન્સીને બ્લેકલિસ્ટ કરી છે.

શહેરના અલગ અલગ સ્મશાનોમાં લોખંડની ઘોડીઓના ડિઝાઇનમાં ફેરફાર કરી અને ઓછા લાકડા વપરાય તેના માટે તેમજ BPL કાર્ડ ધારકોને જે લાભ મળે છે, તે કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવતો ન હતો. જેથી આ તમામ સ્મશાનોમાં તપાસ બાદ કોન્ટ્રાક્ટર સમભાવ સેવા સંઘ અને જય શ્રીકૃષ્ણ સેવા સંઘને બ્લેકલિસ્ટ કરવા માટેની આજે દરખાસ્ત આવી હતી, જેને મંજૂર કરવામાં આવી છે. બન્ને કોન્ટ્રાક્ટર સંસ્થાને એક વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને કુલ 24માંથી 12 જેટલા સ્મશાનોની જવાબદારી સોંપવામાં આવી હતી.

અમદાવાદના અનેક સ્મશાનમાં લોખંડ ની ઘોડીની ચિત્તાઓ મા ફેરફાર કરી મન મરજીથી વધારાની ફીટ કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું.જેમાં કોઈપણ પ્રકારની પરવાનગી વિના લોખંડના ડિઝાઇનમાં ફેરફાર કર્યો હોવાનું સામે આવ્યું. કોઈપણ કોન્ટ્રાક્ટરે નક્કી કરેલ ડિઝાઇનમાં જો ફેરફાર કરવો હોય તો આ બાબતે મંજૂરી લેવાની હોય છે મંજૂરી વિના જ ડિઝાઇનમાં ફેરફાર કરી લાકડા બચાવવાનો હેતુ કોન્ટ્રાક્ટરોની વધુ નફો કમાવવા નો હેતુ સ્પષ્ટ કરતો જોવા મળી રહ્યો છે.ઓછા લાકડાઓ વાપરીને વધુ લાકડાઓ વપરાયા હોવાનો ચાર્જ વસુલીને AMC ને નુકશાન કરાઈ રહ્યા હોવાની વાત બહાર આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...