નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટે પરસ્પર સંમતિથી છૂટાછેડા અંગે પોતાનો ચુકાદો આપતી માર્ગદર્શિકા બહાર પાડી છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે સોમવારે છૂટાછેડા (તલાક) પર મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું હતું કે જો પતિ-પત્ની વચ્ચેના સંબંધો એટલા બગડી ગયા હોય (જ્યારે સંબંધો એટલા ખરાબ થઈ જાય છે કે તેને ફરીથી પાટા પર લાવવા શક્ય નથી) કે સમાધાનનો કોઈ અવકાશ જ નથી, તો કોર્ટ ભારતના બંધારણની કલમ 142 હેઠળ છૂટાછેડાની મંજૂરી આપી શકે છે.
Supreme Court’s five-judge Constitution bench holds that it can dissolve a marriage on the ground of irretrievable breakdown of marriage.
Supreme Court says it can invoke special power granted to it under Article 143 of the Constitution and that the mandatory waiting period of… pic.twitter.com/DFdJgM9mJ7
— ANI (@ANI) May 1, 2023
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સોમવારે જસ્ટિસ એસકે કૌલની આગેવાની હેઠળની પાંચ જજની બેંચે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટને બંધારણની કલમ 142 હેઠળ સંપૂર્ણ રીતે ન્યાય કરવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું હતું કે કલમ 143 હેઠળ આપવામાં આવેલી વિશેષ સત્તાનો ઉપયોગ કરીને પતિ-પત્નીની પરસ્પર સંમતિથી કોર્ટ તેમનાં લગ્ન રદ કરી શકે છે. બેન્ચે કહ્યું હતું કે હવે આ દંપતીએ સંબંધનો અંત લાવવા માટે છ મહિના સુધી રાહ જોવી નહીં પડે.
સુપ્રિમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકામાં છુટાછેડા સમયે, ભરણપોષણ, ભથ્થુ અને બાળકોની કસ્ટડી જેવી બાબતોનો ધ્યાનમાં રાખશે, સુપ્રિમ કોર્ટની 5 જજની બેન્ચે આ નિર્ણય આપ્યો છે.