Friday, January 16, 2026

અમદાવાદમાં રૂ 25000 લઈને ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતું ડોક્ટર દંપતી ઝડપાયું, વાંચો, સમગ્ર મામલો

spot_img
Share

અમદાવાદ : ગર્ભ પરીક્ષણ કરવુ એ ગેરકાયદેસર ગણવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં ફરી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ થવાની કામગીરીનો પર્દાફાશ થયો છે. ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા તબીબ દંપતી સકંજામાં આવ્યા છે. ડૉ.નિકુંજ શાહ અને ડૉ.મીનાક્ષી શાહને પોલીસે ઝડપી પાડ્યા છે. સાથે જ પોલીસે બંને તબીબની હોસ્પિટલના સોનોગ્રાફી અને અલ્ટ્રા સાઉન્ડ મશીનને સીલ કર્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના બોડકદેવ સોલા વિસ્તારમાં તબીબ તરીકે પ્રેક્ટીસ કરતા ડો. નિકુંજ શાહ અને ડો.મિનાક્ષી શાહ પોતાની ક્લિનીકમાં ગર્ભ પરિક્ષણ કરતા હોવાની જાણકારી અમદાવાદ જીલ્લા આરોગ્ય તંત્રને મળી હતી જેના પગલે આરોગ્ય તંત્રએ ડોક્ટર દંપતીની બે હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા.જેથી આરોગ્ય વિભાગે દરોડા પાડ્યાં હતા. તપાસ દરમિયાન બોડકદેવની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ ચાલતું હોવાનું જાણવા મળ્યું હતું. તો સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઈડ હોસ્પિટલમાં પણ ગર્ભ પરીક્ષણ ચાલી રહ્યું હતું. જેથી પોલીસે બંને હોસ્પિટલમાંથી સોનાગ્રાફી અને અલ્ટ્રા સાઉન્ડ મશીન સીલ કર્યા છે.

આરોગ્ય તંત્રએ બોડકદેવની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં તથા સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઈડ હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા અને અલ્ટ્રા સાઉન્ડ મશીન અને બંને હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કરાયા હતા. તંત્રએ લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરનારાઓનો પર્દાફાશ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે હોસ્પિટલમાં 25 હજાર લઈને ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું અને ડૉ.નિકુંજ શાહ અને ડૉ.મીનાક્ષી સામે કાર્યવાહી કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...