Friday, January 23, 2026

અમરનાથની 2023ની પ્રથમ તસવીર આવી સામે, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટો

spot_img
Share

અમદાવાદ : અમરનાથ યાત્રાની સત્તાવાર શરૂઆત થયા પહેલા પ્રથમ વખત બરફાની બાબાની તસવીર સામે આવી છે. અમરનાથ ભગવાનની વર્ષ 2023 ની આ પ્રથમ તસવીર છે. અનેક શિવભક્તો અમરનાથ યાત્રા કરીને ભગવાનના દર્શન કરશે ત્યારે તમે પણ ઘરે બેઠા અમરનાથ બાબાના દર્શન કરી શકો છો. સત્તાવાર રીતે અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા મે મહિનાના પહેલા સપ્તાહમાં કેટલાક શ્રીભક્તો ગુફા સુધી પહોંચ્યા હતા અને અમરનાથ બાબાના દર્શન કર્યા હતા. દર્શન કરીને અમરનાથ ભગવાનની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીરમાં અમરનાથ ગુફા અને બાલતાલ સહિતના વિસ્તારો પણ જોઈ શકાય છે. તસવીરમાં જોઈ શકાય છે કે ચારે તરફ બરફ છે અને ગુફાની અંદર શિવલિંગનો આકાર દેખાય છે. અમરનાથ યાત્રા શરૂ થવામાં હજી બે મહિનાનો સમય છે. તંત્ર દ્વારા અમરનાથ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે તેવામાં અમરનાથ ભગવાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

આ અંગે મળતી જાણકારી અનુસાર કેટલાક ભક્ત યાત્રા શરૂ થાય તે પહેલા ગુફા સુધી પહોંચ્યા હતા. અને તેમણે આ તસવીરો ક્લિક કરી હતી. જોકે આ તસવીરો અંગે અમરનાથ શ્રાઇન બોર્ડ તરફથી કોઈ જ પૃષ્ટિ કરવામાં આવી નથી. મિર્ચી ન્યૂઝ પણ આ વાયરલ તસવીરોની પુષ્ટિ કરતું નથી.

ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા અમરનાથ યાત્રાની તૈયારીઓ એપ્રિલ મહિનાથી જ શરૂ કરી દેવામાં આવી હતી. અમરનાથ ગુફા સુધી જતા રસ્તાની બંને તરફથી બરફ હટાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે. આ સિવાય યાત્રીઓ માટે અન્ય સુવિધાઓની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. અનુમાન છે કે આ મહિનાના અંત સુધીમાં ગુફા સુધીના રસ્તાને ખોલવાનું બધું જ કામ પૂરું કરી લેવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...