Saturday, March 7, 2026

અમરનાથની 2023ની પ્રથમ તસવીર આવી સામે, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટો

spot_img
Share

અમદાવાદ : અમરનાથ યાત્રાની સત્તાવાર શરૂઆત થયા પહેલા પ્રથમ વખત બરફાની બાબાની તસવીર સામે આવી છે. અમરનાથ ભગવાનની વર્ષ 2023 ની આ પ્રથમ તસવીર છે. અનેક શિવભક્તો અમરનાથ યાત્રા કરીને ભગવાનના દર્શન કરશે ત્યારે તમે પણ ઘરે બેઠા અમરનાથ બાબાના દર્શન કરી શકો છો. સત્તાવાર રીતે અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા મે મહિનાના પહેલા સપ્તાહમાં કેટલાક શ્રીભક્તો ગુફા સુધી પહોંચ્યા હતા અને અમરનાથ બાબાના દર્શન કર્યા હતા. દર્શન કરીને અમરનાથ ભગવાનની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીરમાં અમરનાથ ગુફા અને બાલતાલ સહિતના વિસ્તારો પણ જોઈ શકાય છે. તસવીરમાં જોઈ શકાય છે કે ચારે તરફ બરફ છે અને ગુફાની અંદર શિવલિંગનો આકાર દેખાય છે. અમરનાથ યાત્રા શરૂ થવામાં હજી બે મહિનાનો સમય છે. તંત્ર દ્વારા અમરનાથ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે તેવામાં અમરનાથ ભગવાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

આ અંગે મળતી જાણકારી અનુસાર કેટલાક ભક્ત યાત્રા શરૂ થાય તે પહેલા ગુફા સુધી પહોંચ્યા હતા. અને તેમણે આ તસવીરો ક્લિક કરી હતી. જોકે આ તસવીરો અંગે અમરનાથ શ્રાઇન બોર્ડ તરફથી કોઈ જ પૃષ્ટિ કરવામાં આવી નથી. મિર્ચી ન્યૂઝ પણ આ વાયરલ તસવીરોની પુષ્ટિ કરતું નથી.

ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા અમરનાથ યાત્રાની તૈયારીઓ એપ્રિલ મહિનાથી જ શરૂ કરી દેવામાં આવી હતી. અમરનાથ ગુફા સુધી જતા રસ્તાની બંને તરફથી બરફ હટાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે. આ સિવાય યાત્રીઓ માટે અન્ય સુવિધાઓની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. અનુમાન છે કે આ મહિનાના અંત સુધીમાં ગુફા સુધીના રસ્તાને ખોલવાનું બધું જ કામ પૂરું કરી લેવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...