Sunday, January 18, 2026

‘MLA ગુજરાત’નું પાટીયું લગાવી રૂઆબ જમાવવો પડ્યો ભારે, યુવાનની પોલીસે પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો

spot_img
Share

અમદાવાદ : શહેરના અતિ પોશ ગણાતા સિંધુ ભવન રોડ પર રાત પડતાની સાથે અનેક નબીરાઓ કલર કરતા જોવા મળે છે. આવો જ એક નબીરો શહેર પોલીસના હાથે ઝડપાયો છે. તેમાં જાણવા મળ્યુ હતુ કે, આરોપી યુવકના પરિવારમાં કે કોઈ સંબંધી રાજ્યસેવક ન હોવા છતાં આ રીતે પાટિયું મારીને ફરતો હતો. ત્યારે પોલીસે ગુનો નોંધી ગાડી કબજે લઇ યુવકની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના સિંધુભવન રોડ પર આવેલા ઓક્સિજન પાર્ક પાસે એક કાળા રંગની ગાડી ઉભી હતી. આ દરમિયાનમાં ઝોન 7 ડીસીપી બી.યુ. જાડેજા રાઉન્ડ પર નીકળ્યા હતા. તેમણે આ ગાડીને જોતા જ ગાડી રોકાવી હતી. ગાડીમાં બેસેલા યુવકોને ઉતારીને ડીસીપીએ તેમની પૂછપરછ કરી હતી. ગાડીમાં બેસેલા યુવક અને તેના મિત્રને બહાર બોલાવી પૂછ્યું હતું કે, તેઓ મોડી રાત્રે રોડ પર ગાડી ઉભી રાખી શું કરી રહ્યા છે.

આ ઉપરાંત ડીસીપીએ ગાડી પર બ્લેક ફિલ્મ જોઈ તો આ બાબતે યુવકને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ ગાડીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે નહીં તે બાબતે ખરાઈ કરતા ડેશબોર્ડ પર MLA ગુજરાત લખેલું પાટીયું મળી આવ્યું હતું. તેથી ડીસીપીએ સરખેજ પોલીસને જાણ કરતા પોલીસે માનવસિંહ મહેન્દ્રસિંહ ચાવડા (ઉ.૨૧, રહે. સેક્ટર-૨, ગાંધીનગર) સામે ગુનો નોંધી તપાસ કરી હતી.

સરખેજ પોલીસે MLA ગુજરાતનું પાટિયું કેમ લગાવ્યું તે બાબતે પૂછતા માત્ર શોખ માટે લગાવ્યું હોવાની કબૂલાત કરી હતી. જો કે, માત્ર રોફ ઝાડવા માટે જ તેણે આ પાટિયું લગાવી ફરતો હતો. માનવસિંહ ચાવડા નામનો યુવક કોલેજમાં અભ્યાસ કરે છે અને તેના પિતા કોન્ટ્રાક્ટર છે. તે રાત્રે સિંધુભવન રોડ પર આવી તેના મિત્ર સાથે આનંદ કરતો હતો પણ પોલીસે રંગમાં ભંગ પાડી ગાડી કબજે લઇ કાયદાના પાઠ ભણાવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...