Sunday, February 15, 2026

એક સપ્તાહમાં ત્રણ હાઉસીંગના મકાનોની છત ધરાશયી થવાની દુર્ઘટનાઓ છતાં તંત્ર નિદ્રાધીન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં નવા વાડજ, નારણપુરા સહીત સોલા વિસ્તારમાં હાઉસીંગ બોર્ડના અનેક વર્ષો જૂની સોસાયટીઓ જર્જરીત થઇ હોવા છતાં રિડેવલપમેન્ટને લઈને ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સરકાર વિરુદ્ધ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે, તાજેતરમાં છેલ્લા એક સપ્તાહમાં નવા વાડજના નંદનવન અને શિવમ એપાર્ટમેન્ટના મકાનોમાં ત્રણ અલગ અલગ દુર્ઘટનાઓમાં સ્લેબ ધરાશાયી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે ત્રણમાંથી એકેય દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આમ એક સપ્તાહમાં સતત ત્રીજી દુર્ઘટના ઘટી હોવા છતાં તંત્ર હજુ નિદ્રાધીન અવસ્થામાં છે.

પહેલી દુર્ઘટના….નંદનવન એપાર્ટમેન્ટ, નવા વાડજ…
પહેલી દુર્ઘટનામાં નવા વાડજમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટમાં D/17/202 મકાનમાં રસોડામાં અલગ અલગ ભાગે છતનો મોટો હિસ્સો ધરાશયી થયો હતો, જો કે દુર્ઘટના સમયે રસોડામાં કોઈ હાજર નહિ હોવાને કારણે કોઈ જાનહાની થઇ નહોતી, પરંતુ આ ઘટના બાદ પરિવાર અને આજુબાજુમાં રહીશો ભયભીત છે. આ ઘટના બાદ મકાનના માલિક ગોવિંદભાઇનું કહેવું છે કે રિડેવલપમેન્ટ જ એકમાત્ર ઉકેલ છે, સોસાયટી અને હાઉસીંગ બોર્ડ આગળ આવીને લોકોની માંગણીઓ સાંભળવી જોઈએ.

બીજી દુર્ઘટના….શિવમ એપાર્ટમેન્ટ, નવા વાડજ…
બીજી દુર્ઘટનામાં નવા વાડજમાં આવેલ શિવમ એપાર્ટમેન્ટમાં G/75 /895 મકાનમાં ત્રીજે માળ નહિ, પરંતુ બીજે માળ પાછળની સાઈડમાં આવેલ ગેલેરીમાં છતનો મોટો હિસ્સો ધડામ દઈ ધરાશયી થઇ નીચે પડ્યો હતો. જો કે અહીં પણ સદનસીબે નીચે બહાર બેસતા લોકો હાજર નહિ હોવાને કારણે કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ નહોતી. ઘરના માલિક ચિરાગ પટેલનું કહેવું છે કે અમારા શિવમ એપાર્ટમેન્ટની હાલત બહુ ખરાબ છે, આવી એકલી મારા ઘરની હાલત નથી. શિવમ એપાર્ટમેન્ટના દરેક ઘરની હાલત એવી છે અમે માંગણી કરીએ છીએ કે અમારા મકાનો રિડેવલપમેન્ટ માં જાય એવી ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સરકારની જોડે અમારી માંગણી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શિવમ એપાર્ટમેન્ટના દરેક મકાનોની હાલત બહુ ખસતા છે એટલે એક વખત બોર્ડ કે સરકાર અમારા મકાનોની હાલત જોઈ લે.

ત્રીજી દુર્ઘટના…નંદનવન એપાર્ટમેન્ટ, નવા વાડજ…
ત્રીજી દુર્ઘટનામાં નવા વાડજમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટમાં D-20/238 મકાનમાં ત્રીજે માળ બેડરૂમમાં છતનો મોટો હિસ્સો ધડામ દઈ ધરાશયી થઇ નીચે પડ્યો હતો.આ મકાનના માલિક રિતેશ અઢીયોલ જણાવે છે કે દુર્ઘટના સમયે જો હું પાણી પીવા ના ઉભો થયો હોત, જો મારા માથા પર પડ્યો હોત તો હું ના બચ્યો હોત, આવી દુર્ઘટના બીજા કોઈ કુટુંબ સાથે ના બને, કોઈ હોનારત ના થાય માટે મારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે અમારા નંદનવન એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટને ગુજરાત હાઉસિંગ બોર્ડ ગંભીરતા થી લે.આજે તો હું બચી ગયો છું પણ કદાચ આવી દુર્ઘટના બીજા કોઈ રહીશ સાથે ના બને બધા રહીશો ભય મુક્ત રહી શકે માટે, જેમ બને તેમ હાઉસીંગના ફ્લાઇટોને રિડેવલપમેન્ટ કરવાની મારી સરકારને નમ્ર વિનંતી છે.

તમને જણાવી દઈએ કે આ માત્ર ત્રણ દુર્ઘટના છે, આવી અનેક નાની મોટી છત કે પોપડા પડવાની અનેક દુર્ઘટનાઓ ઘટતી હોય છે. સદનસીબે કોઈ જાનહાની થતી નથી, જેથી હાઉસિંગ બોર્ડ અને સરકારના પેટનું પાણી હાલતું નથી, પરંતુ જો આમ જ ચાલતું રહેશે તો આગામી સમયમાં નારણપુરામાં ભૂતકાળમાં એકતા એપાર્ટમેન્ટમાં ટાંકી તૂટી પડવાની જે દુર્ઘટના ઘટી હતી, તેવું હાઉસીંગના કોઈ પણ ફ્લેટમાં થઈ શકે છે, આવી દુર્ઘટનાઓ બાદ રહીશોમાં ફફડાટનો માહોલ છે, આવું ન બને તે માટે તાત્કાલિક પગલા લેવાની માંગ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...