Wednesday, January 7, 2026

એક સપ્તાહમાં ત્રણ હાઉસીંગના મકાનોની છત ધરાશયી થવાની દુર્ઘટનાઓ છતાં તંત્ર નિદ્રાધીન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં નવા વાડજ, નારણપુરા સહીત સોલા વિસ્તારમાં હાઉસીંગ બોર્ડના અનેક વર્ષો જૂની સોસાયટીઓ જર્જરીત થઇ હોવા છતાં રિડેવલપમેન્ટને લઈને ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સરકાર વિરુદ્ધ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે, તાજેતરમાં છેલ્લા એક સપ્તાહમાં નવા વાડજના નંદનવન અને શિવમ એપાર્ટમેન્ટના મકાનોમાં ત્રણ અલગ અલગ દુર્ઘટનાઓમાં સ્લેબ ધરાશાયી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે ત્રણમાંથી એકેય દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આમ એક સપ્તાહમાં સતત ત્રીજી દુર્ઘટના ઘટી હોવા છતાં તંત્ર હજુ નિદ્રાધીન અવસ્થામાં છે.

પહેલી દુર્ઘટના….નંદનવન એપાર્ટમેન્ટ, નવા વાડજ…
પહેલી દુર્ઘટનામાં નવા વાડજમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટમાં D/17/202 મકાનમાં રસોડામાં અલગ અલગ ભાગે છતનો મોટો હિસ્સો ધરાશયી થયો હતો, જો કે દુર્ઘટના સમયે રસોડામાં કોઈ હાજર નહિ હોવાને કારણે કોઈ જાનહાની થઇ નહોતી, પરંતુ આ ઘટના બાદ પરિવાર અને આજુબાજુમાં રહીશો ભયભીત છે. આ ઘટના બાદ મકાનના માલિક ગોવિંદભાઇનું કહેવું છે કે રિડેવલપમેન્ટ જ એકમાત્ર ઉકેલ છે, સોસાયટી અને હાઉસીંગ બોર્ડ આગળ આવીને લોકોની માંગણીઓ સાંભળવી જોઈએ.

બીજી દુર્ઘટના….શિવમ એપાર્ટમેન્ટ, નવા વાડજ…
બીજી દુર્ઘટનામાં નવા વાડજમાં આવેલ શિવમ એપાર્ટમેન્ટમાં G/75 /895 મકાનમાં ત્રીજે માળ નહિ, પરંતુ બીજે માળ પાછળની સાઈડમાં આવેલ ગેલેરીમાં છતનો મોટો હિસ્સો ધડામ દઈ ધરાશયી થઇ નીચે પડ્યો હતો. જો કે અહીં પણ સદનસીબે નીચે બહાર બેસતા લોકો હાજર નહિ હોવાને કારણે કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ નહોતી. ઘરના માલિક ચિરાગ પટેલનું કહેવું છે કે અમારા શિવમ એપાર્ટમેન્ટની હાલત બહુ ખરાબ છે, આવી એકલી મારા ઘરની હાલત નથી. શિવમ એપાર્ટમેન્ટના દરેક ઘરની હાલત એવી છે અમે માંગણી કરીએ છીએ કે અમારા મકાનો રિડેવલપમેન્ટ માં જાય એવી ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સરકારની જોડે અમારી માંગણી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શિવમ એપાર્ટમેન્ટના દરેક મકાનોની હાલત બહુ ખસતા છે એટલે એક વખત બોર્ડ કે સરકાર અમારા મકાનોની હાલત જોઈ લે.

ત્રીજી દુર્ઘટના…નંદનવન એપાર્ટમેન્ટ, નવા વાડજ…
ત્રીજી દુર્ઘટનામાં નવા વાડજમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટમાં D-20/238 મકાનમાં ત્રીજે માળ બેડરૂમમાં છતનો મોટો હિસ્સો ધડામ દઈ ધરાશયી થઇ નીચે પડ્યો હતો.આ મકાનના માલિક રિતેશ અઢીયોલ જણાવે છે કે દુર્ઘટના સમયે જો હું પાણી પીવા ના ઉભો થયો હોત, જો મારા માથા પર પડ્યો હોત તો હું ના બચ્યો હોત, આવી દુર્ઘટના બીજા કોઈ કુટુંબ સાથે ના બને, કોઈ હોનારત ના થાય માટે મારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે અમારા નંદનવન એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટને ગુજરાત હાઉસિંગ બોર્ડ ગંભીરતા થી લે.આજે તો હું બચી ગયો છું પણ કદાચ આવી દુર્ઘટના બીજા કોઈ રહીશ સાથે ના બને બધા રહીશો ભય મુક્ત રહી શકે માટે, જેમ બને તેમ હાઉસીંગના ફ્લાઇટોને રિડેવલપમેન્ટ કરવાની મારી સરકારને નમ્ર વિનંતી છે.

તમને જણાવી દઈએ કે આ માત્ર ત્રણ દુર્ઘટના છે, આવી અનેક નાની મોટી છત કે પોપડા પડવાની અનેક દુર્ઘટનાઓ ઘટતી હોય છે. સદનસીબે કોઈ જાનહાની થતી નથી, જેથી હાઉસિંગ બોર્ડ અને સરકારના પેટનું પાણી હાલતું નથી, પરંતુ જો આમ જ ચાલતું રહેશે તો આગામી સમયમાં નારણપુરામાં ભૂતકાળમાં એકતા એપાર્ટમેન્ટમાં ટાંકી તૂટી પડવાની જે દુર્ઘટના ઘટી હતી, તેવું હાઉસીંગના કોઈ પણ ફ્લેટમાં થઈ શકે છે, આવી દુર્ઘટનાઓ બાદ રહીશોમાં ફફડાટનો માહોલ છે, આવું ન બને તે માટે તાત્કાલિક પગલા લેવાની માંગ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...