Saturday, December 20, 2025

એક સપ્તાહમાં ત્રણ હાઉસીંગના મકાનોની છત ધરાશયી થવાની દુર્ઘટનાઓ છતાં તંત્ર નિદ્રાધીન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં નવા વાડજ, નારણપુરા સહીત સોલા વિસ્તારમાં હાઉસીંગ બોર્ડના અનેક વર્ષો જૂની સોસાયટીઓ જર્જરીત થઇ હોવા છતાં રિડેવલપમેન્ટને લઈને ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સરકાર વિરુદ્ધ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે, તાજેતરમાં છેલ્લા એક સપ્તાહમાં નવા વાડજના નંદનવન અને શિવમ એપાર્ટમેન્ટના મકાનોમાં ત્રણ અલગ અલગ દુર્ઘટનાઓમાં સ્લેબ ધરાશાયી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે ત્રણમાંથી એકેય દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આમ એક સપ્તાહમાં સતત ત્રીજી દુર્ઘટના ઘટી હોવા છતાં તંત્ર હજુ નિદ્રાધીન અવસ્થામાં છે.

પહેલી દુર્ઘટના….નંદનવન એપાર્ટમેન્ટ, નવા વાડજ…
પહેલી દુર્ઘટનામાં નવા વાડજમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટમાં D/17/202 મકાનમાં રસોડામાં અલગ અલગ ભાગે છતનો મોટો હિસ્સો ધરાશયી થયો હતો, જો કે દુર્ઘટના સમયે રસોડામાં કોઈ હાજર નહિ હોવાને કારણે કોઈ જાનહાની થઇ નહોતી, પરંતુ આ ઘટના બાદ પરિવાર અને આજુબાજુમાં રહીશો ભયભીત છે. આ ઘટના બાદ મકાનના માલિક ગોવિંદભાઇનું કહેવું છે કે રિડેવલપમેન્ટ જ એકમાત્ર ઉકેલ છે, સોસાયટી અને હાઉસીંગ બોર્ડ આગળ આવીને લોકોની માંગણીઓ સાંભળવી જોઈએ.

બીજી દુર્ઘટના….શિવમ એપાર્ટમેન્ટ, નવા વાડજ…
બીજી દુર્ઘટનામાં નવા વાડજમાં આવેલ શિવમ એપાર્ટમેન્ટમાં G/75 /895 મકાનમાં ત્રીજે માળ નહિ, પરંતુ બીજે માળ પાછળની સાઈડમાં આવેલ ગેલેરીમાં છતનો મોટો હિસ્સો ધડામ દઈ ધરાશયી થઇ નીચે પડ્યો હતો. જો કે અહીં પણ સદનસીબે નીચે બહાર બેસતા લોકો હાજર નહિ હોવાને કારણે કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ નહોતી. ઘરના માલિક ચિરાગ પટેલનું કહેવું છે કે અમારા શિવમ એપાર્ટમેન્ટની હાલત બહુ ખરાબ છે, આવી એકલી મારા ઘરની હાલત નથી. શિવમ એપાર્ટમેન્ટના દરેક ઘરની હાલત એવી છે અમે માંગણી કરીએ છીએ કે અમારા મકાનો રિડેવલપમેન્ટ માં જાય એવી ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સરકારની જોડે અમારી માંગણી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શિવમ એપાર્ટમેન્ટના દરેક મકાનોની હાલત બહુ ખસતા છે એટલે એક વખત બોર્ડ કે સરકાર અમારા મકાનોની હાલત જોઈ લે.

ત્રીજી દુર્ઘટના…નંદનવન એપાર્ટમેન્ટ, નવા વાડજ…
ત્રીજી દુર્ઘટનામાં નવા વાડજમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટમાં D-20/238 મકાનમાં ત્રીજે માળ બેડરૂમમાં છતનો મોટો હિસ્સો ધડામ દઈ ધરાશયી થઇ નીચે પડ્યો હતો.આ મકાનના માલિક રિતેશ અઢીયોલ જણાવે છે કે દુર્ઘટના સમયે જો હું પાણી પીવા ના ઉભો થયો હોત, જો મારા માથા પર પડ્યો હોત તો હું ના બચ્યો હોત, આવી દુર્ઘટના બીજા કોઈ કુટુંબ સાથે ના બને, કોઈ હોનારત ના થાય માટે મારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે અમારા નંદનવન એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટને ગુજરાત હાઉસિંગ બોર્ડ ગંભીરતા થી લે.આજે તો હું બચી ગયો છું પણ કદાચ આવી દુર્ઘટના બીજા કોઈ રહીશ સાથે ના બને બધા રહીશો ભય મુક્ત રહી શકે માટે, જેમ બને તેમ હાઉસીંગના ફ્લાઇટોને રિડેવલપમેન્ટ કરવાની મારી સરકારને નમ્ર વિનંતી છે.

તમને જણાવી દઈએ કે આ માત્ર ત્રણ દુર્ઘટના છે, આવી અનેક નાની મોટી છત કે પોપડા પડવાની અનેક દુર્ઘટનાઓ ઘટતી હોય છે. સદનસીબે કોઈ જાનહાની થતી નથી, જેથી હાઉસિંગ બોર્ડ અને સરકારના પેટનું પાણી હાલતું નથી, પરંતુ જો આમ જ ચાલતું રહેશે તો આગામી સમયમાં નારણપુરામાં ભૂતકાળમાં એકતા એપાર્ટમેન્ટમાં ટાંકી તૂટી પડવાની જે દુર્ઘટના ઘટી હતી, તેવું હાઉસીંગના કોઈ પણ ફ્લેટમાં થઈ શકે છે, આવી દુર્ઘટનાઓ બાદ રહીશોમાં ફફડાટનો માહોલ છે, આવું ન બને તે માટે તાત્કાલિક પગલા લેવાની માંગ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...

લગ્ન નોંધણીના નિયમોમાં સરકાર મોટો ફેરફાર કરવાની તૈયારી, માતા-પિતાને મોકલાશે નોટિસ, નવો ડ્રાફ્ટ તૈયાર !

ગાંધીનગર : ગુજરાતમાં પ્રેમી યુગલ દ્વારા ભાગીને કરવામાં આવતા પ્રેમ લગ્ન મોટો ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રકારે થતા પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજુરી...

ACBની સફળ ટ્રેપ, CID ક્રાઇમના ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર : ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ આજે (15 ડિસેમ્બર) ગાંધીનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવી CID ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ...

સંકટના સમયમાં ‘જીવાદોરી’ સાબિત થયું ‘મુખ્યમંત્રી રાહત ભંડોળ’ : 4 વર્ષમાં થઈ 2000થી વધુ દર્દીની સારવાર

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી રાહત ભંડોળ (Chief Minister Relief Fund - CMRF) સંકટના સમયમાં રાજ્યના નાગરિકો માટે એક જીવાદોરી બન્યું છે....

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...