Tuesday, February 24, 2026

ગુજરાતમાં આ નવા નિયમો સાથે સી-પ્લેન શરૂ કરવાની તૈયારી, જાણો કેટલા રૂપિયાની હોઈ શકે ટિકિટ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર સી-પ્લેનને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ફરી સી-પ્લેન સેવા શરૂ કરવા તંત્ર દ્વારા રિવરફ્રન્ટથી SOU સુધી સી-પ્લેન સર્વિસ માટે ટેન્ડર મંગાવાયા છે. મહત્વનું છે કે, સી-પ્લેન સર્વિસ ટેન્ડરમાં અમુક શરતો ઉમેરવામાં આવી છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી SOUની સી પ્લેન સર્વિસ માટે ટેન્ડર મગાવવામાં આવ્યા છે. આયોજન મુજબ આગળ વધ્યું તો આ વર્ષે ઓક્ટોબર સુધીમાં સી પ્લેન સર્વિસ ફરી શરૂ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમીટેટ દ્વારા સી પ્લેન સર્વિસ શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઇ છે. માહિતી મુજબ આ ટેન્ડર જમા કરાવવા માટેની અંતિમ તારીખ 26 જૂન છે. તો વળી આ વખતે ટેન્ડરમાં નવી શરતોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ શરત સી પ્લેનનું એરક્રાફ્ટ 12વર્ષથી વધુ જૂનું હોવું જોઇએ નહીં તેની છે. આ સાથે પાયલોટ પાસે સી પ્લેન ઉડાડવાનો ઓછામાં ઓછો 500 કલાકનો અનુભવ પણ જરૂરી કરાયો છે.

ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમીટેટ દ્વારા સી પ્લેન સર્વિસ શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયામાં આ વખતે અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. જે મુજબ અમદાવાદથી SOU વચ્ચે દિવસની ચાર ટ્રિપ કરવાની રહેશે, મહિનાની 100 ટ્રિપ થવી જોઇએ. નવી શરતમાં એરક્રાફ્ટ 12થી જૂનું ન હોવાનો ઉલ્લેખ, એરક્રાફ્ટ 9થી 19 સીટરનુ હોવું જોઈએ, પાયલોટને સી-પ્લેનનો 500 કલાકનો અનુભવ જરૂરી કરાયો છે. આ સાથે સી-પ્લેનની વધુમાં વધુ 5 હજાર રૂપિયા ટિકિટ રાખી શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...