Wednesday, March 11, 2026

GCRIના ડૉક્ટરે IITRAM ના એન્જિનયર્સની મદદથી “ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન” બનાવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સિવિલ મેડિસીટીમાં કાર્યરત ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI)ના ડૉક્ટરે બે એન્જિનયર્સની મદદથી ઇન્ટેલીજન્સ બાયોપ્સી ગન બનાવી છે. આ બાયોપ્સી ગનની મદદથી બોન મેરો અને બાયોપ્સી માટે ટિશ્યુ લેવાની પધ્ધતિ વધુ સરળ બનશે. વધુમાં આ અનોખા ઉપકરણને માર્ચ મહિનામાં પેટન્ટ પણ કરાવવામાં આવ્યું છે. જે આગામી ત્રણ મહિનામાં બજારમાં ઉપલબ્ધ બનશે.

અમદાવાદ શહેરના એક ડૉક્ટરે બે એન્જિનિયરો સાથે મળીને એક ઉપકરણ ડિઝાઇન કર્યું છે, જેથી અસ્થિ બાયોપ્સી અને બોન મેરો ટીશ્યુ લેવાનું સરળ બનાવશે. બાયોપ્સી માટે હાડકામાંથી પેશી લેવી સામાન્ય રીતે પીડાદાયક હોય છે, ત્યારે ટીમે સેન્સર સાથેનું એક સ્વયંસંચાલિત ઉપકરણ વિકસાવ્યું છે.જે એક જ વારમાં તપાસ માટે હાડકામાંથી શ્રેષ્ઠ પેશી કાઢવામાં સક્ષમ હશે. આ ઉપકરણને ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન નામ આપવામાં આવ્યું છે.ટીમ દ્વારા આ પ્રકારનું ઉપકરણ જે બાયોપ્સી માટે આપમેળે કામ કરે છે તે વિશ્વમાં પ્રથમ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

 

ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) ના ઓર્થોપેડિક કેન્સર સર્જન અભિજીત સાલુંકેએ જણાવ્યું હતું કે, હાડકામાંથી બાયોપ્સી માટે ટિશ્યૂ લેવાથી સામાન્ય રીતે પીડા થાય છે. સામાન્યત: અંદાજના આધારે આ પેશી ડ્રિલ જેવા મશીનમાંથી લેવામાં આવે છે. કેટલીકવાર દર્દીને એક કરતા વધુ વખત ટિશ્યૂ લેવાની જરૂર પડે છે. યોગ્ય પેશી મળી છે કે નહીં તે જાણવું સરળ નથી. તદ્ઉપરાંત, આસપાસની ચેતાને નુકસાન થવાનું જોખમ રહેલું છે.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (IIT રામ), અમદાવાદના એન્જિનિયર ડૉ.રાઘવેન્દ્ર ભાલેરાવ અને ડૉ. કૃપા શાહને મળીને દર્દીઓના હાડકાની બાયોપ્સીની સમસ્યાના સંભવિત ઉકેલ વિશે ડિવાઇસ વિકસાવવા રજુઆત કરી હતી. જેના પરિણામે ડો. ભાલેરાવ અને ડો. શાહ (બંને એન્જીનીયરો) સાથે મળીને ત્રણ મહિનામાં એક ઉપકરણ તૈયાર કર્યું છે જે બોન બાયોપ્સી અને બોન મેરો ટિશ્યૂ મેળવવામાં સંપૂર્ણ રીતે સફળ છે તેમ ડૉ. સાલુંકેએ ઉમેર્યુ હતુ.

ડૉક્ટરે દાવો કર્યો છે કે, અત્યાર સુધી દુનિયામાં ક્યાંય પણ આવું કોઈ ઉપકરણ નથી. સેન્સર વિનાના મશીનો હાલમાં કાર્યરત હોવા છતાં, સેન્સરવાળા ઉપકરણો ક્યાંય જોવા મળતા નથી. તેઓ વધુમાં જણાવે છે કે, સોયના આગળના ભાગમાં સેન્સરની હાજરીને કારણે ઇન્ટેલિજન્ટ બાયોપ્સી ગન ઓટોમેટિક સ્તરે કામ કરશે. ઉપકરણની મદદથી હાડકામાં કેટલું ઊંડું અને કયા દબાણ સાથે જવું છે તે પણ જાણી શકાશે.

ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ જણાવ્યું હતુ કે, આ પ્રકારના આધુનિક ઉપકરણ એક જ વારમાં હાડકામાંથી પેશીઓનું બાયોપ્સી કરવાની મંજૂરી આપશે. જેના કારણે દર્દીઓની પીડા ઓછી થશે અને રિકવરી પણ ઝડપથી થશે. ફરીથી અને ફરીથી પરીક્ષણ કરવાની જરૂર રહેશે નહીં. નસ વગેરે કાપવાનું જોખમ પણ ઓછું રહેશે. એકંદરે આવા ઉપકરણથી દર્દીઓને ફાયદો થઈ શકે છે. અમારી હોસ્પિટલમાં દર વર્ષે સરેરાશ 600 જેટલી બાયોપ્સી કરવામાં આવે છે. આ પ્રકારના ડિવાઇઝ બાયોપ્સીને સચોટ, સરળ અને તેના પરિણામ શ્રેષ્ઠ બનાવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...