Wednesday, January 21, 2026

અમદાવાદમાં ફરી બેફામ બની BRTS બસ, ટ્યુશનથી ઘરે જતા વિદ્યાર્થીને લીધો અડફેટે, લોકોએ ડ્રાઈવરને ધોઈ નાખ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં છાસવારે BRTS બસના અકસ્માતની ઘટના બનતી હોય છે, ત્યારે મણિનગર વિસ્તારમાં BRTS બસે વિદ્યાર્થીને અડફેટે લેતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો. ક્લાસીસ પૂર્ણ કરીને વિદ્યાર્થી BRTS રેલિંગ ઓળંગી રહ્યો હતો. તે દરમ્યાન ઘટના બનવા પામી હતી. BRTS બસની અડફેટથી વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોચવા પામી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ બસ ચાલકને માર માર્યો હતો. બસ ચાલક સાથે મારામારી થતા સ્થાનિક પોલીસે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ મણિનગર રેલ્વે ફાટકથી જયહિંદ ચાર રસ્તાનાં રૂટ પર સ્વામીનારાયણ મંદિરનાં ટાવર સામે આવેલ BRTS કોરીડોરમાં BRTS બસે વિદ્યાર્થીને અડફેટે લેતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો. ક્લાસીસ પૂર્ણ કરીને વિદ્યાર્થી BRTS રેલિંગ ઓળંગી રહ્યો હતો. તે દરમ્યાન ઘટના બનવા પામી હતી.વિદ્યાર્થી બસ સાથે ટકરાઈને નીચે પડ્યો હતો.સમગ્ર ઘટનાને લઈને આજુબાજુમાંથી લોકો એકઠા થઇ જતા બસ ચાલકને માર માર્યો હતો. બસ ચાલક સાથે મારામારી થતા સ્થાનિક પોલીસે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ભૂતકાળમાં પણ BRTS બસ દ્વારા અનેક અકસ્માતો સર્જાઇ ચૂક્યા છે. આ બનાવમાં અનેક જીંદગી હોમાઈ ગઈ છે. આમ છતા BRTS બસની ઝડપને નિયંત્રિત કરાઇ રહી નથી. માતેલા સાંઢની બેફામ દોડતી BRTS જાણે અમદાવાદના માર્ગો પર યમદૂત બનીને ફરી રહી હોય તેમ લોકોને લાગી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...