Wednesday, March 11, 2026

અમદાવાદમાં ફરી બેફામ બની BRTS બસ, ટ્યુશનથી ઘરે જતા વિદ્યાર્થીને લીધો અડફેટે, લોકોએ ડ્રાઈવરને ધોઈ નાખ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં છાસવારે BRTS બસના અકસ્માતની ઘટના બનતી હોય છે, ત્યારે મણિનગર વિસ્તારમાં BRTS બસે વિદ્યાર્થીને અડફેટે લેતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો. ક્લાસીસ પૂર્ણ કરીને વિદ્યાર્થી BRTS રેલિંગ ઓળંગી રહ્યો હતો. તે દરમ્યાન ઘટના બનવા પામી હતી. BRTS બસની અડફેટથી વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોચવા પામી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ બસ ચાલકને માર માર્યો હતો. બસ ચાલક સાથે મારામારી થતા સ્થાનિક પોલીસે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ મણિનગર રેલ્વે ફાટકથી જયહિંદ ચાર રસ્તાનાં રૂટ પર સ્વામીનારાયણ મંદિરનાં ટાવર સામે આવેલ BRTS કોરીડોરમાં BRTS બસે વિદ્યાર્થીને અડફેટે લેતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો. ક્લાસીસ પૂર્ણ કરીને વિદ્યાર્થી BRTS રેલિંગ ઓળંગી રહ્યો હતો. તે દરમ્યાન ઘટના બનવા પામી હતી.વિદ્યાર્થી બસ સાથે ટકરાઈને નીચે પડ્યો હતો.સમગ્ર ઘટનાને લઈને આજુબાજુમાંથી લોકો એકઠા થઇ જતા બસ ચાલકને માર માર્યો હતો. બસ ચાલક સાથે મારામારી થતા સ્થાનિક પોલીસે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ભૂતકાળમાં પણ BRTS બસ દ્વારા અનેક અકસ્માતો સર્જાઇ ચૂક્યા છે. આ બનાવમાં અનેક જીંદગી હોમાઈ ગઈ છે. આમ છતા BRTS બસની ઝડપને નિયંત્રિત કરાઇ રહી નથી. માતેલા સાંઢની બેફામ દોડતી BRTS જાણે અમદાવાદના માર્ગો પર યમદૂત બનીને ફરી રહી હોય તેમ લોકોને લાગી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...