Sunday, January 25, 2026

નવરંગપુરામાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે 150 કિલોમીટર સુધી જઈ 450 સીસીટીવી ચેક કરીને 2 આરોપીને ઝડપ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરના નવરંગપુરામાં પંજાબી હોલ પાસે સુર્વણ કલા કોમ્પ્લેક્ષમાં આવેલા આર.અશોક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 50 લાખની લૂંટ ચલાવી પ્લસર બાઈક પર આવેલા બે લૂંટારૂ ફરાર થઈ ગયેલ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 50 લાખની લૂંટ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે અને 35 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. મહત્વનું છે કે, આરોપીઓને પકડવા માટે પોલીસે 150 કિલોમીટર સુધી હજારો કેમેરા ચેક કર્યા હતા.

પોલીસે પકડેલા બંને આરોપીએના નામ વિશાલ સિંધી અને પ્રતિક પાનવેકર હોવાનું જાણવા મળ્યું છે. વિશાલ પોતાની ગેંગ ચલાવે છે. તેને એવો વહેમ હતો કે, તેને પોલીસ ક્યારેય પકડી શકે નહીં. આરોપીએ ગત 28 એપ્રિલે પોતાના અન્ય સાગરીતો સાથે મળીને નવરંગપુરામાંથી 50 લાખની લૂંટ કરી હતી અને ત્યારબાદ ત્યાંથી આણંદ ભાગી ગયા હતા.આરોપીઓએ લૂંટ કર્યા બાદ રૂપિયા અંદરોઅંદર ભાગ પાડી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રેકી કર્યા બાદ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓ એટલા ચાલાક છે કે લૂંટ કર્યા બાદ બીજા જિલ્લામાં જતા રહ્યા હતા અને એ પણ હાઈવે નહીં પરંતુ અંદરના રસ્તે જતાં હતાં.

આરોપીઓ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે વારંવાર કપડાં, જૂતા બદલી લેતા હતા અને ચેહરો ના આવે તેનું પણ ધ્યાન રાખતા હતા. આરોપીઓને પકડવા પોલીસે 150 કિલોમીટર સુધી હજારો કેમેરા ચેક કર્યા હતા. આરોપી વિશાલે લૂંટના રૂપિયાથી એક બાઈક પણ લીધી હતી. મહત્વનું છે કે, આરોપીઓ 3થી વધુની ગેંગમાં રેકી કરી અને ત્યારબાદ ઘટનાઓને અંજામ દેતા હતા. નોંધનીય છે કે, આરોપી વિશાલ સિંધી આગાઉ પણ 2 લૂંટ કરી ચૂક્યો હતો, પરંતુ પકડાયો નહોતો. જેથી તેને એવું હતું કે, તેને કોઈ પકડી શક્શે નહીં. હાલ પોલીસ ફરાર અન્ય આરોપી પવન સિંધી અને અને અન્ય એક આરોપીની શોધખોળ કરી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...