Thursday, September 18, 2025

અમદાવાદમાં હીટ એન્ડ રનની વધુ એક ઘટના, દંપતીમાંથી એકનું ઘટના સ્થળે જ મોત

Share

Share

અમદાવાદ: અમદાવાદ સહીત સમગ્ર રાજ્યમાં હીટ એન્ડ રનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં હીટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવેલી કારે એક્ટિવા પર સવાર દંપતીને અડફેટે લેતા પતિનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ પત્નીને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે. જ્યારે કાર ચાલક અકસ્માત કરી ફરાર થયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ નવા વાડજમાં રહેતા 45 વર્ષીય ગાયત્રી ભાવસાર એક ચાઇલ્ડ ડેન્ટલ કેરમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે. મંગળવારે 50 વર્ષીય પતિ નીતિનભાઈ સાથે બાઇક લઈને શાહપુર ખાતે રહેતાં સાસુને મળવા બાઈક લઈને ગયા હતા. રાત્રીના સમયે શાહપુરથી પરત નવા વાડજ આવી રહ્યા હતા ત્યારે શંકરભુવન ફર્નિચર માર્ટની સામે પહોંચ્યા હતા તે સમયે પૂરપાટ ઝડપે આવેલી કારે બાઇકને ટક્કર મારી હતી.આથી નીતિનભાઈ અને ગાયત્રીબેન જમીને પટકાઈ પડ્યાં હતાં, જેના કારણે ગાયત્રીબેનને સામાન્ય ઈજાઓ થઈ હતી, પરંતુ નીતિનભાઈનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે આ ઘટનાને લઈને ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ અગાઉ અમદાવાદમાં એસ જી હાઇવે પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી હતી. જેમાં માતા પુત્રીના અકસ્માતમાં મોત થયા હતા. અમદાવાદમાં હીટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો થઈ યહ્યો છે. ત્યારે પોલીસ હવે હીટ એન્ડ રનની ઘટનાઓને લઈ વધુ એક્ટિવ જોવા મળી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...