Tuesday, January 13, 2026

અમદાવાદના હાર્દસમાન લાલ દરવાજા ટર્મિનસની હેરીટેજ થીમ પર કાયા પલટ, 5મી જૂને CM કરશે લોકાર્પણ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની એક ઓળખ લાલ બસ, એટલે કે AMTS બસ. AMTSનું મુખ્ય બસ સ્ટેન્ડ લાલદરવાજા બસ ટર્મિનસ હવે હેરીટેજ લુક સાથેનું નવું બસ ટર્મિનસની કાયાપલટ કરવામાં આવી છે.જેનુ 5મી જૂને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ધાંટન કરવામાં આવશે.

સમગ્ર અમદાવાદના ખુણે ખાચરે જતી AMTS બસ સ્ટોપના મુખ્ય સ્ટેન્ડની કાયાપલટ કરવામાં આવી છે. 65 વર્ષ જુના બસ સ્ટેન્ડમાં 1 વર્ષથી વધુ સમયથી નવીનીકરણ કરવામાં આવતુ હતુ. આ હેરીટેજ સિટીની થીમ પર બનેલા નવા સ્ટેન્ડનું લોકાર્પણ 5 જૂનના રોજ મુખ્યમંત્રીના હસ્ત લોકાર્પણ કરવામાં આવવાનું છે. આ હેરીટેજ થીમ પર બનેલા બસસ્ટેન્ડની અંદર અમદાવાદના તમામ સ્થળોએ હેરીટેજ સ્થળોની પ્રતિકૃતિ મુકવામાં આવી છે. હેરીટેજ થીમથી ઉપરનાં માળે ઓફિસો તેમજ નીચે બસ સ્ટોપ બનાવવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેષ બારોટે જણાવ્યુ હતુ કે, 5મી જુનના રોજ મુખ્યમંત્રી આપણા લાલદરવાજા ખાતે આવેલા AMTS બસસ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવશે. લાલદરવાજા ખાતેના AMTS બસ સ્ટેન્ડને હેરિટેજ થીમથી નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં આશરે 10 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, જેને ધ્યાને રાખીને આ બસ સ્ટેન્ડને હેરીટેજ થીમથી બનાવવામાં આવ્યુ છે.

અમદાવાદ શહેરને જયારથી વર્લ્ડ હેરીટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, ત્યારથી હેરીટેજ થીમ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલ દરવાજા AMTS ટર્મિનસને પણ હેરીટેજ લુક સાથે તૈયાર કરાઇ રહ્યુ છે. લાલ દરવાજા AMTS ટર્મિનસ, કે શહેરની મધ્યમાં આવેલુ છે અને મુસાફરોની ખુબ જ મોટી ભીડ પણ જોવા મળે છે. આ ટર્મિનસ પરથી દૈનિક 49 રૂટ પર 118 બસની અવરજવર થાય છે, જેનો અંદાજે અઢી લાખ મુસાફરો દૈનિક ઉપયોગ કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...