Thursday, January 22, 2026

એસિડની આડમાં દારુ ભર્યો ટેન્કરમાં, વિજિલન્સની ટીમ ઝડપી પાડ્યો 17 લાખનો જથ્થો

spot_img
Share

અમદાવાદ : દારુની બદીને સતત ધમધમતી રાખવા બુટલેગરો નીતનવા કીમિયા અજમાવતા રહે છે. જોકે પોલીસ પણ આવા ઘણા કીમિયાનો પર્દાફાશ કરી ચુકી છે. પણ હાલમાં જ અમદાવાદમાં એક અલગ જ ભેજું દોડાવીને બુટલેગરે દારુની હેરફેર કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી છે. થયું એવું છે કે બુટલેગરે પોલીસને થાપ આપવા માટે એસિડ ભરવાના ટેન્કરમાં ઠસોઠસ દારૂની બોટલો અને પેટીઓ ભરી દીધી હતી. આ જોતાં જ થોડીવાર તો વિજિલન્સની ટીમ પણ ચોંકી ઊઠી હતી, કારણ કે, બહારથી જોતાં કોઈ એસિડ ભરેલું ટેન્કર જતું હોય એવું લાગતું હતું, પરંતુ અંદર 17 લાખના અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો અને બિયરનાં ટિન ભરેલાં હતાં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગામડી રિંગ રોડ પર આવેલા ગામડી ચોકડી પાસે એસિડના ટેન્કરની અંદર દારૂ જતો હોવાની બાતમી વિજિલન્સની ટીમને મળી હતી. પહેલા તો કોઈને પણ અંદાજ ન આવે કે ટેન્કરની અંદર દારૂ હશે, પણ બાતમીના આધારે પોલીસે એ જગ્યાએ ટેન્કરને રોકી હતી. ટેન્કરની અંદર કેમિકલ હશે એવી શંકાને આધારે પહેલા પોલીસે એક વ્યક્તિને ટેન્કર ખોલવા માટે ઉપર ચડાવી હતી અને ટેન્કર ખોલતાં જ એની અંદર અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ અને બિયરનાં ટિન હતાં. પોલીસે અંદાજે ટેન્કરની અંદરથી 17 લાખનો દારૂ જપ્ત કર્યો છે, જ્યારે આ સમગ્ર રેડ દરમિયાન કુલ 27 લાખથી વધુનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે.

પોલીસ-તપાસમાં આ દારૂ ભરેલું ટેન્કર રાજસ્થાનથી આવ્યાનું ખૂલ્યું હતું. જોકે દારૂની ડિલિવરી થાય એ પહેલાં જ વિજિલન્સને સફળતા મળી છે. રથયાત્રા સમયે પોલીસને વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાની સૂચના અપાઈ છે, પરંતુ સ્થાનિક પોલીસ દારૂ ભરેલું આ ટેન્કર પકડવામાં નિષ્ફળ સાબિત થઈ છે, જ્યારે વિજિલન્સની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી આ ટેન્કર ઝડપી પાડ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...