Thursday, January 22, 2026

નવા વાડજની આ શાળામાં નવા સત્રના પ્રથમ દિવસે પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી

spot_img
Share

અમદાવાદ : આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે શહેરના નવા વાડજ વિસ્તારમાં એક અનોખી શાળા છે. જે અનેકને પ્રેરણા આપે છે. નવા વાડજ વિસ્તારની એક માત્ર હિન્દી મીડીયમ શાળા લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલમાં આજે સત્રનો પ્રથમ દિવસે અને વિશ્વ પર્યાવરણ દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. નવા સત્રના પ્રથમ દિવસે સર્વે વિદ્યાર્થીઓને ભાવભર્યો આવકાર આપવામાં આવ્યો હતો. આજે પ્રથમ દિવસે વિધાર્થીઓને શાળાના બિલ્ડીંગ નિયમની માહિતી આપવાની સાથે પર્યાવરણની સુરક્ષા કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નવા વાડજ વિસ્તારની અગ્રગણ્ય શાળા લાયોનેસ કર્ણાવતી એમ એચ હિન્દી હાયર સેકેન્ડરી સ્કૂલમાં આજે સત્રનો પ્રથમ દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને આવકાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિધાર્થીઓને શાળાના બિલ્ડીંગ નિયમની માહિતી આપવાની સાથે પર્યાવરણની સુરક્ષા કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.આજે શાળામાં ‘શ્રમભક્તિ’ દ્વારા શિક્ષણ સાથે જ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના પાઠ શીખડાવ્યા હતા.

આ પ્રસંગે શાળાના વિજ્ઞાન શિક્ષિકા પ્રવિણાબેન સોલંકીએ વિદ્યાર્થીઓ પાસે REDUSE, REUSE અને RECYCLE ને સમજાવતાં શોર્ટ વિડિયો બનાવડાયા, જેથી વિદ્યાર્થીઓ આ concept સારી રીતે સમજી શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...