Friday, March 13, 2026

અમદાવાદની આ શાળાનો સુંદર પ્રયાસ, નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મહેનત કરે છે

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં જ ધોરણ 10 અને 12ના પરિણામો આવી ગયા છે. પાસ થયેલ વિધાર્થીઓની પીઠ થાબડવામાં આવે છે, શાળાઓ અને ટ્યુશન કલાસીસ વાળા શ્રેય લેવા પહોંચી જાય છે, પરંતુ નાપાસ થયેલ વિધાર્થી માટે શાળા સાથેનો સંબંધ કાયમ માટે તૂટી જાય છે, એટલું જ નહિ વિધાર્થીની સામે જોવા પણ કોઈ તૈયાર થતું નથી, આવામાં અમદાવાદની એક શાળા કરી રહી છે જેના અંગે જાણીને આપ જરૂરથી તેને સલામ કરી દેશો. અમદાવાદની એચ બી કાપડિયા સ્કૂલ 50 એવા વિદ્યાર્થીઓ જેઓ નાપાસ થયા હતા અને આગામી જુલાઈમાં લેવાનાર પૂરક પરીક્ષામાં સફળતા મળે તે માટે મહેનત કરી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદની એચ બી કાપડિયા સ્કૂલ 50 એવા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં સફળતા મળે તે માટે મહેનત કરી રહી છે. શાળા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં સારા પરિણામ માટે શાળામાં અભ્યાસ કરવા, તૈયારી કરવા માટે બોલાવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં પૂરક પરીક્ષા માટે તૈયાર કરેલા 81 વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે અને આ વખતે નવી બેચ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, સ્કૂલનું પરિણામ 100 ટકા આવતું હતું પણ કોરોના પછી વિદ્યાર્થીઓના અભ્યાસથી લઈ બીજી ઘણી અસરો જોવા મળી જેના પછી સ્કૂલ દ્વારા નાપાસ થયેલા સ્ટૂડન્ટ્સનો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો. જે પ્રમાણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો સંપર્ક કરી તેઓ નાપાસ હોય તે વિષય માટે અલગથી બેચ શરૂ કરીને તેમને અભ્યાસ કરાવાય છે.

હોશિયાર, ધનીક બાળકો પર તો કામ કરનારા હજારો જોયા હશે, તેમની સફળતાના શ્રેય પણ લેતા ઘણા જોયા હશે પરંતુ નાપાસ થયેલા, ભણવામાં ઓછો રસ ધરાવતા કે ગરીબ વર્ગના બાળકો માટે પણ મહેનત કરી તેમને કાબેલ બનાવનારા જવલ્લે જ જોવા મળતા હોય છે.જેના કારણે નાપાસ થવા પર અનેક લોકો અયોગ્ય રસ્તાઓ પર જતા રહે છે ત્યાં શાળાના આ પ્રયાસો એક ઉજાસની દિશામાં આગળ વધી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...