Monday, January 26, 2026

અમદાવાદીઓ સાવધાન ! શહેરની ફરસાણની દુકાનો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરાયુ, 9 દુકાનો-રેસ્ટોરન્ટ સીલ કરાઈ

spot_img
Share

અમદાવાદ: શહેરમાં અનેક હોટલ રેસ્ટોરન્ટ અને દુકાનોમાં બિનઆરોગ્યપ્રદ ખાણીપીણીનું વેચાણ થતું હોય છે. જેના પગલે AMCના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હોટલ, રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરતાં એક જ તેલમાં અનેક વખત વસ્તુઓ તળવામાં આવી હતી. લોટના ડબ્બામાં જીવાતો મળી આવી હતી જ્યારે પાણીની ટાંકીમાં મચ્છરોના લાડવા અને ગંદુ પાણી મળી આવ્યું હતું. લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા ફૂડ વિભાગ દ્વારા કુલ 9 જેટલી ફરસારણની દુકાનો અને રેસ્ટોરન્ટને સીલ મારી હતી. 64 જેટલી રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોના વેપારીઓ રૂ. 2.69 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

AMCના ફૂડ વિભાગના જણાવ્યા મુજબ આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમો દ્વારા વિવિધ હોટલો અને દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ભોજનાલય, રેસ્ટોરન્ટ અને ફરસારણની દુકાનોમાંથી નિયમો અનુસાર ખાદ્ય પદાર્થની જાળવણી ન કરી તેમજ સબ સ્ટાન્ડર્ડ ખોરાક મળી આવતા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 09 જેટલી દુકાનોમાં બિનઆરોગ્યપ્રદ ખાવાનું મળી આવ્યું હતું જેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ફૂડ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જ્યારે દુકાનો અને હોટલમાં તપાસ કરવામાં આવી તો ત્યાંથી અનહાઇજેનિક કન્ડિશન મળી આવી હતી એટલે કે રસોડામાં એક જ તેલમાં અનેક વખત પૂરી તળવામાં આવતી હતી. ડોલ ભરી અને બળેલું તેલ પણ મળી આવ્યું હતું જે લોટથી પુરી બનાવવામાં આવતી હોય છે તે લોટ રાખવાના ડબ્બામાંથી જીવાતો મળી આવી હતી. દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટના રસોડામાં ગંદકી હોવાના પગલે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં આવી અનેક દુકાનો આવેલી છે જેના રસોડામાં આવી હાલત જોવા મળતી હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...